ગિરનારના યાત્રાળુઓની સુરક્ષા માટે 25 તાલીમબદ્ધ ટ્રેકર્સનો કાફલો તૈનાત Aug 19, 2026 જૂનાગઢ,નવી-જૂની સીડી અને દાતાર માર્ગ પર સઘન દેખરેખગિરનાર પર્વત પર આવતા લાખો યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં ગિરનાર વિસ્તારમાં સિંહ દ્વારા માનવ શિકારની બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ, વન વિભાગે સતર્કતા વધારતા હવે ગિરનારના વિવિધ માર્ગો પર 25 તાલીમબદ્ધ ટ્રેકર્સની તૈનાતી કરી છે. આ પગલું માનવ-વન્યજીવ સંઘર્ષને અટકાવવા અને યાત્રાળુઓને સુરક્ષિત અનુભવ પૂરો પાડવા માટે લેવામાં આવ્યું છે.નવી SOP મુજબ, આ ટ્રેકર્સને અત્યંત સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતાર તરફ જતા માર્ગોનો સમાવેશ થાય છે. આ ટ્રેકર્સ દિવસ-રાત ચોકસાઈપૂર્વક નજર રાખશે જેથી વન્યજીવોની અવરજવર પર સતત મોનિટરિંગ કરી શકાય. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટ્રેકર્સની હાજરીથી યાત્રાળુઓને ભયમુક્ત વાતાવરણ મળશે અને કોઈ પણ અપ્રિય ઘટનાને અગાઉથી રોકવામાં મદદ મળશે.આ ટ્રેકર્સ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ વન્યજીવોની હિલચાલ અંગે પણ વન વિભાગને ત્વરિત જાણકારી પૂરી પાડશે. આ પ્રકારની આગોતરી જાણકારી મળવાથી વન વિભાગ જરૂર પડ્યે યાત્રાળુઓને સાવચેત કરી શકશે અથવા સલામતી માટે તાત્કાલિક પગલાં લઈ શકશે. માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવા અને ગિરનારના જંગલી વિસ્તારમાં પ્રકૃતિના પ્રેમીઓ તથા યાત્રાળુઓ સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે માટે વન વિભાગ આ નવી વ્યવસ્થાને સખતાઈથી લાગુ કરી રહ્યું છે. Previous Post Next Post