કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ Jan 30, 2026 કુવૈતથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં અચાનક બોમ્બ હોવાનું સંકેત મળતા મુસાફરોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. સુરક્ષા જોખમને ધ્યાનમાં લેતાં પાયલટે ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.વિમાનમાં કુલ 186 લોકો સવાર હતા, જેમાં 180 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સામેલ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે ફ્લાઇટ આકાશમાં હતી, ત્યારે ક્રૂ સભ્યને ટિશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઘટનાની જાણ થતાં પાયલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે સૌથી નજીકના એરપોર્ટ, એટલે કે અમદાવાદ, તરફ ફ્લાઇટ વાળી.એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી. નકુમે જણાવ્યું કે, “ધમકી મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) દ્વારા વિમાનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તપાસમાં કોઈ ખતરનાક વસ્તુ મળેલી નથી.”હાલમાં વિમાનની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે. મુસાફરોની સલામતીના બધાં પગલાં લેવામાં આવ્યા છે અને તેમને આરામદાયક પરિસ્થિતિમાં રાખવામાં આવ્યું છે.આ ઘટના ઈન્ડિયન એરલાઈન્સ સેક્ટરમાં સુરક્ષા ચિંતાઓને નવા સ્તર પર લાવી રહી છે અને એ વાતને ઉકેલવા માટે બધા હવાઈ માર્ગે સચેત રહેવાની જરૂરિયાત વધુ વધી ગઈ છે. Previous Post Next Post