રેપો રેટ યથાવત્ રાખવાનો આરબીઆઈનો નિર્ણય: લોનધારકોને તરત રાહત નહીં, મોંઘવારી વધવાના સંકેત Feb 07, 2026 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટિ (MPC)એ ત્રણ દિવસ ચાલેલી બેઠકના અંતે અપેક્ષા મુજબ મુખ્ય નીતિ દર એટલે કે રેપો રેટ 5.25 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે હોમ લોન, વાહન લોન સહિતની વિવિધ લોન પરના વ્યાજ દરો તથા ઈએમઆઈમાં તાત્કાલિક કોઈ ઘટાડો થવાનો નથી. આગામી નાણાં વર્ષના પ્રારંભિક મહિનાઓમાં મોંઘવારી વધવાની શક્યતા પણ આરબીઆઈએ વ્યક્ત કરી છે.આ બેઠક કેન્દ્ર સરકારના બજેટ જાહેર થયા બાદ યોજાયેલી પ્રથમ નીતિવિષયક બેઠક હતી, જેના કારણે બજારો અને નાણાંકીય ક્ષેત્રની ખાસ નજર આ નિર્ણય પર હતી. એમપીસીનો સર્વસંમતિભર્યો નિર્ણયછ સભ્યોની એમપીસીએ સર્વાનુમતે રેપો રેટ 5.25 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે રિઝર્વ બેન્કે તેની પોલિસી સ્ટાન્સ પણ ‘ન્યુટ્રલ’ જ રાખી છે. ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સનો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં પરિસ્થિતિ અનુસાર વ્યાજ દરમાં વધારો અથવા ઘટાડો બંને શક્ય છે.બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, રેપો રેટમાં કોઈ ફેરફાર ન થતાં હાલના તબક્કે બેન્કો લોનધારકોને વ્યાજદરમાં રાહત આપી શકશે નહીં. અમેરિકા સાથેના વેપાર કરારથી આર્થિક દબાણ હળવુંઅમેરિકા સાથે થયેલા વેપાર કરાર બાદ ભારતના માલસામાન પર લાગતા ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાના નિર્ણયથી ભારતીય બજારો અને અર્થતંત્ર પરનું દબાણ ઘટ્યું છે.આ ઉપરાંત, બજેટમાં સરકારી ખર્ચ વધારવાની દરખાસ્તો અને વૈશ્વિક સ્તરે ફુગાવો નિયંત્રણમાં રહેતા વિકાસ અંગેની ચિંતા હળવી થઈ છે. આરબીઆઈના મતે, બાહ્ય પડકારો હોવા છતાં અમેરિકા અને યુરોપ સાથેના વેપાર કરારો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત આધાર આપે છે. છેલ્લા એક વર્ષમાં રેપો રેટમાં મોટો ઘટાડોફેબ્રુઆરી 2025થી અત્યાર સુધી એમપીસીએ કુલ 1.25 ટકા રેપો રેટમાં ઘટાડો કરી તેને 5.25 ટકા સુધી લાવ્યો છે. ડિસેમ્બરની બેઠકમાં રેપો રેટમાં પોણા ટકા (0.25%)નો ઘટાડો કરાયો હતો. તેના કારણે અર્થતંત્રમાં લિક્વિડિટી વધીને વિકાસને ગતિ મળી છે.રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલહોત્રાએ જણાવ્યું કે દેશનું અર્થતંત્ર વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ અને અનિશ્ચિતતા છતાં સ્થિર અને સ્થિતિસ્થાપક રહ્યું છે. મોંઘવારી અંગે આરબીઆઈનું દૃષ્ટિકોણઆરબીઆઈના જણાવ્યા મુજબ, હાલ ફુગાવો સહ્ય સ્તરે છે પરંતુ આગામી નાણાં વર્ષના પ્રથમ અને બીજા ત્રિમાસિકમાં મોંઘવારી વધવાની શક્યતા છે. પ્રથમ ત્રિમાસિક માટે ફુગાવાનો અંદાજ 4 ટકા અને બીજા ત્રિમાસિક માટે 4.20 ટકા મૂકવામાં આવ્યો છે.ખાસ કરીને કિંમતી ધાતુઓના ભાવમાં થયેલા ઉછાળાને કારણે ફુગાવાના અંદાજમાં વધારો કરાયો છે. જોકે, વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવો 2.10 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. વિકાસદર અને જીડીપી અંગે અનુમાનજીડીપીની નવી શ્રેણી જાહેર થવાની હોવાથી આરબીઆઈએ આગામી સંપૂર્ણ નાણાં વર્ષ માટે વિકાસદરનો અંદાજ જાહેર કર્યો નથી. તેમ છતાં, નવા નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિક માટે જીડીપી વૃદ્ધિ દરના અનુમાન જાહેર કરાયા છે.એપ્રિલથી જૂન ત્રિમાસિક: 6.90 ટકાજુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક: 7 ટકાવર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દર 7.40 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. નીચા વ્યાજ દર લાંબા સમય સુધી જળવાશેબેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં ગવર્નર સંજય મલહોત્રાએ જણાવ્યું કે નીચા વ્યાજ દરની સ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહેશે અને પરિસ્થિતિ અનુકૂળ રહે તો તેમાં વધુ ઘટાડો પણ શક્ય છે.તેમણે ઉમેર્યું કે નીતિગત નિર્ણયોની થાપણ પર અસર ધીમે પડે છે અને આવનારા સમયમાં થાપણ પરના વ્યાજ દરોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. વેપાર કરારથી વિકાસને બૂસ્ટતાજેતરના વેપાર કરાર અંગે ગવર્નરે જણાવ્યું કે આ કરારના કારણે દેશના આર્થિક વિકાસ દરમાં 20 બેઝિસ પોઈન્ટનો વધારો થવાની સંભાવના છે. ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં કરન્સી ઇન સર્ક્યુલેશનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું. Previous Post Next Post