જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગર શહેરમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જ્યાં રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું પાણીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.

માહિતી મુજબ, જામનગરના હનુમાન ટેકરી નજીકના કામળિયા વાસ વિસ્તારમાં રહેતા યુવક (ઉંમર 40) તા. 10મીના રોજ પોતાના ઘરનાં મંદિરનો પૂજાપાનો સામાન રણમલ તળાવમાં પધરાવવા ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ પાણીમાં પડી ગયા હતા અને બહાર આવી શક્યા ન હતા. પરિણામે તેમનું સ્થળ પર જ ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

ઘટના બાદ મૃતકની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સીટી એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ દ્વારા સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવાર પર અચાનક આ ઘટનાથી શોકનો માહોલ છવાઈ ગયો છે.

You may also like

સુરતમાં સાયકલ ચોર્યાના બીજા જ દિવસે મહિલાએ પાછી મૂકી કેમેરા સામે માફી માંગી

સુરતમાં સાયકલ ચોર્યાના બીજા જ દિવસે મહિલાએ પાછી મૂકી કેમેરા સામે માફી માંગી

રાજકોટમાં રાજસ્થાનથી આવેલા 10.99 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

રાજકોટમાં રાજસ્થાનથી આવેલા 10.99 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

અમેરિકા-ઈરાન શાંતિ કરાર ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક 'જેકપોટ' સમાન

અમેરિકા-ઈરાન શાંતિ કરાર ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક 'જેકપોટ' સમાન

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ: દિલ્હી-એનસીઆરમાં ભારે પવન અને વરસાદની આગાહી

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ: દિલ્હી-એનસીઆરમાં ભારે પવન અને વરસાદની આગાહી