ધર્મેન્દ્ર હજુ જીવે છે : ખોટા નિધનના અહેવાલ બાદ હેમા માલિની અને એશા દેઓલનો ગુસ્સો

ધર્મેન્દ્ર હજુ જીવે છે : ખોટા નિધનના અહેવાલ બાદ હેમા માલિની અને એશા દેઓલનો ગુસ્સો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના અહેવાલો આજે સવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ હવે આ અહેવાલોને તેમના પરિવારજનો દ્વારા સંપૂર્ણપણે ખોટા ગણાવવામાં આવ્યા છે.

અભિનેત્રી અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “મારા પિતા સંપૂર્ણપણે સ્ટેબલ છે અને તેઓ ધીમે ધીમે રિકવરી કરી રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “કૃપા કરીને આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં ખોટી માહિતી ન ફેલાવો અને અમારા પરિવારની પ્રાઈવસીનો સન્માન કરો.”

સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના અવસાનની ખોટી ખબર ફેલાતા ચાહકોમાં હલચલ મચી ગઈ હતી. ઘણા લોકોએ શ્રદ્ધાંજલિ પોસ્ટ્સ પણ કરી દીધી હતી. જોકે થોડી જ વારમાં એશા દેઓલ અને હેમા માલિનીએ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરીને ખોટી અફવાઓને બંધ કરી દીધી.

હાલ ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. ડૉક્ટરો મુજબ તેમની તબિયતમાં સતત સુધારો નોંધાઈ રહ્યો છે.

પરિવારે ચાહકોને ધર્મેન્દ્રના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે.

You may also like

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ:  ઇટલીના પીએમ મેલોની

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ: ઇટલીના પીએમ મેલોની

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ