પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડ સામે આવ્યું, ચોખા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો, અનાજ માફીયાઓમાં ભય અને ફફડાટનો માહોલ Nov 12, 2025 પંચમહાલ જિલ્લામાં સરકારી અનાજ સાથે જોડાયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોધરા બી-ડીવીઝન પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પર સંકેત મળતા શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટેમ્પામાં 82 કટ્ટા ચોખાનો જથ્થો મળ્યો હતો, જેની કુલ કિંમત લગભગ રૂ. 8 લાખ જેટલી અંદાજવામાં આવી છે.પોલીસે ડ્રાઈવરને અટકાવ્યા બાદ પુરવઠા વિભાગને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચોખાનો જથ્થો અને ટેમ્પો કબ્જે લીધો. અધિકારીઓ જણાવે છે કે, ચોખો ખરેખર સરકારી છે કે નહીં અને તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાતો, તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.આ બનાવને પગલે જિલ્લાની અનાજ માફીયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં ‘રવિ’ નામના અનાજ માફિયાનું નામ સામે આવ્યું છે. પોલીસે આ મામલે તેની સંકળવણી તપાસવાનું શરૂ કર્યું છે અને વધુ વિગત માટે તપાસ ચાલુ છે.આ કૌભાંડની અસર સ્થાનિક પુરવઠા વ્યવસ્થાને અને લોકોમાં સરકારી અનાજની ઉપલબ્ધતાને અસર પહોંચાડી શકે એવી શક્યતા જણાવાઈ રહી છે. Previous Post Next Post