વાસ્તુશાસ્ત્ર મુજબ ઇમારત આસપાસના રસ્તાઓની દિશા અને સંખ્યા પ્રગતિ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે છે Apr 15, 2026 જ્યોતિષ આચાર્ય અશિતજીસ્થાપક: એકદંતમ્ એસ્ટ્રો સોલ્યુશન્સ (EKADANTAM ASTRO Solutions)જ્યોતિષ, વાસ્તુ અને અંકશાસ્ત્રના નિષ્ણાત EKADANTAM ASTRO SOLUTIONS -9227 101 505 વાસ્તુશાસ્ત્ર મુજબ, કોઈપણ રહેણાંક કે વ્યવસાયિક બહુમાળી ઇમારત (Apartment or Commercial Complex) માટે તેની આસપાસના રસ્તાઓ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રસ્તાઓની સંખ્યા અને દિશા ઇમારતમાં રહેતી વ્યક્તિઓની પ્રગતિ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર સીધી અસર કરે છે."એકદંતમ્ એસ્ટ્રો સોલ્યુશન્સના સ્થાપક અને નામાંકિત વાસ્તુશાસ્ત્રી ,અંકશાસ્ત્રના નિષ્ણાત જ્યોતિષ આચાર્ય અશિતજી જણાવે છે કે..."વાસ્તુના સિદ્ધાંતો મુજબ રસ્તાઓનું વિશ્લેષણ નીચે મુજબ છે.👉🏻1. ચારેય તરફ રસ્તા (All Four Sides Road)જો ઇમારતની ચારેય બાજુએ રસ્તા હોય, તો તેને વાસ્તુમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.આવી ઇમારતને 'બ્રહ્મસ્થાન' થી ઉર્જા મળે છે.તે ચારેય દિશાઓમાંથી સકારાત્મકતા આકર્ષે છે અને ત્યાં રહેતા કે વ્યવસાય કરતા લોકો માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થાય છે.👉🏻2. ત્રણ તરફ રસ્તા (Three Sides Road)ત્રણ બાજુ રસ્તા હોય ત્યારે કઈ દિશામાં રસ્તો *નથી*, તે જોવું જરૂરી છે:શુભ જો ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં રસ્તો હોય (દક્ષિણ બંધ હોય), તો તે ખૂબ જ પ્રગતિશીલ માનવામાં આવે છે.મધ્યમ જો દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં રસ્તો હોય (પૂર્વ બંધ હોય), તો તે મિશ્ર ફળ આપે છે.👉🏻3. બે તરફ રસ્તા (Two Sides Road - Corner Plot)ખૂણાના પ્લોટમાં રસ્તાઓની દિશા સૌથી વધુ અસર કરે છે:ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો) જો રસ્તાઓ ઉત્તર અને પૂર્વ દિશામાં હોય, તો તે સર્વોત્તમ છે. આનાથી સુખ, સંપત્તિ અને માનસિક શાંતિ મળે છે.દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) પૂર્વ અને દક્ષિણમાં રસ્તો હોય તો તે સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં ક્યારેક અસ્થિરતા લાવી શકે છે.ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય ખૂણો) ઉત્તર અને પશ્ચિમમાં રસ્તો હોય તો વેપાર માટે સારો છે, પણ લાંબા ગાળે અસ્થિરતા લાવી શકે.દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણો) દક્ષિણ અને પશ્ચિમમાં રસ્તો હોય તો તેને વાસ્તુ મુજબ નિમ્ન માનવામાં આવે છે, જેમાં ઘણી સાવચેતી અને ઉપાયોની જરૂર પડે છે.👉🏻4. એક તરફ રસ્તો (One Side Road)જો માત્ર એક જ દિશામાં રસ્તો હોય, તો તેની પ્રાધાન્યતા નીચે મુજબ છે:1. પૂર્વ દિશાનો રસ્તો અત્યંત શુભ (પ્રગતિ અને યશ માટે).2. ઉત્તર દિશાનો રસ્તો અત્યંત શુભ (ધન અને લક્ષ્મીના આગમન માટે).3. પશ્ચિમ દિશાનો રસ્તો મધ્યમ (મેનત બાદ સફળતા મળે).4. દક્ષિણ દિશાનો રસ્તો સામાન્ય રીતે આ દિશાને વાસ્તુમાં ઓછી પસંદ કરવામાં આવે છે, જોકે યોગ્ય બાંધકામ અને પ્રવેશદ્વારથી તેના દોષ નિવારી શકાય છે.ખાસ ધ્યાન રાખવાની બાબતો:વિથિશૂલ (T-Junction) જો રસ્તો સીધો ઇમારતની સામે આવીને અટકતો હોય (T કે L જંકશન), તો તેને 'વિથિશૂલ' કહેવાય છે. જે તે દિશાના આધારે તેના શુભ કે અશુભ પરિણામો હોઈ શકે છે.રસ્તાનું સ્તર ઇમારતનો પ્લોટ હંમેશા રસ્તાના સ્તર કરતા ઊંચો હોવો જોઈએ. જો રસ્તો ઊંચો અને ઇમારત નીચી હોય, તો તે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે.ઢાળ જમીનનો ઢાળ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ હોવો જોઈએ, ભલે રસ્તો ગમે તે દિશામાં હોય. Next Post