રાજકોટમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: બાળકોને મળે સવારે પોષણયુક્ત નાસ્તો

રાજકોટમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: બાળકોને મળે સવારે પોષણયુક્ત નાસ્તો

ગુજરાત સરકાર દ્વારા પોષણલક્ષી યોજનાઓને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના (CM Breakfast Scheme) અમલી કરવામાં આવી છે. સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન રાજ્યમાં બાળશિક્ષણ અને પોષણ બંને પર વિશેષ ભાર મુક્યો છે. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ આ પહેલ મુખ્યત્વે બાળકોના આરોગ્ય અને શારીરિક વિકાસને પ્રોત્સાહિત કરે છે.

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓમાં દરરોજ આશરે 90 હજાર વિદ્યાર્થીઓને સવારે પોષણયુક્ત નાસ્તો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજના ગત વર્ષ ડિસેમ્બર 2024થી અમલમાં છે, અને તેના દ્વારા નાસ્તાની સાથે સાથે મધ્યાહ્ન ભોજન પણ આપવામાં આવે છે. નાસ્તા અને ભોજન બંને શાળાના રસોડામાં જ તૈયાર થાય છે, જેથી બાળકોને તાજું અને પોષણયુક્ત આહાર મળી શકે.

રાજકોટ જિલ્લા અન્ન પુરવઠા અધિકારી શ્રી અજયભાઈ ઝાપડાના માર્ગદર્શનમાં આ યોજનાને કાર્યક્ષમ રીતે અમલમાં મુકવામાં આવી રહી છે. પી.એમ. પોષણ યોજના હેઠળ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રીનાબેન કાલાણીએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લા વિસ્તારમાં વિદ્યાર્થીઓને નાસ્તા અને મધ્યાહ્ન ભોજન ઉપલબ્ધ કરાવવાનું કાર્ય નિયમિત રીતે થઈ રહ્યું છે. યોજના અંતર્ગત બાળકોને પ્રાર્થના પહેલાં અથવા પછી નાસ્તો આપવામાં આવે છે, જ્યારે દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પણ શાળાઓમાં આપવામાં આવે છે.

આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ પૂરું પાડવું જ નહીં, પરંતુ બાળકોના આરોગ્ય અને પોષણ પર ખાસ ધ્યાન આપવું છે. પ્રોટીન અને કેલરીથી ભરપૂર આહાર બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગરમાગરમ નાસ્તા બાળકોની પાચનશક્તિ વધારવા, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા અને કુપોષણને દૂર કરવા માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, નિયમિત પોષણયુક્ત આહારથી બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને શૈક્ષણિક પ્રદર્શન પણ સુધરે છે.

બ્રેકફાસ્ટનું મેનુ:

  • સોમવાર: સુખડી (ખાંડેલા સીંગદાણા અને ઘઉંના મિશ્રણથી)
  • મંગળવાર: ચણા ચાટ / મિક્સ કઠોળ (સીંગદાણા ચાટ)
  • બુધવાર: સુખડી
  • ગુરુવાર: ચણા ચાટ / મિક્સ કઠોળ
  • શુક્રવાર: ચણા ચાટ / મિક્સ કઠોળ
  • શનિવાર: સુખડી

શાળાના સરપંચો અને ગ્રામજનોએ પણ આ યોજનાની પ્રશંસા કરી છે. શ્રી સંજયભાઈ પીપળીયા અને શ્રીમતિ મમતાબેન કાછડીયાએ જણાવ્યું કે, હવે ખેડૂત પરિવારના બાળકોને પોષણયુક્ત નાસ્તા ઉપલબ્ધ હોવાને કારણે રાત્રે આરામથી ઊંઘ પણ મેળવી શકે છે અને સવારે ઊર્જા કાર્યમાં સક્રિય બની શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે શિક્ષણ અને પોષણ બંને ક્ષેત્રમાં કાર્ય કરીને બાળકોને કુપોષણમુક્ત, તંદુરસ્ત અને સુપ્રશિક્ષિત ભવિષ્ય માટે તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલ દ્વારા ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય બંને ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે, જે બાળકો માટે આરોગ્યપ્રદ અને સુખમય જીવન માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.
 

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો