મેં એક બિલાડી પાળી છે..., તો હવે રજીસ્ટ્રેશન ફરજિયાત! Jul 09, 2026 અમદાવાદ,અમદાવાદમાં બિલાડી પાળતા લોકોને હવે AMCમાં ફરજિયાત કરવું પડશે રજીસ્ટ્રેશનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓના નિયમોને લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હતું, પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરી બિલાડી પાળતા નાગરિકોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે. જો તમે પણ ઘરમાં બિલાડી પાળી રહ્યા હોવ, તો હવે તમારે નિયમોનું પાલન કરવું પડશે, અન્યથા દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.AMCના આ નવા નિર્ણય મુજબ, શહેરના જે લોકો ઘરે બિલાડી પાળે છે, તેમણે હવે ફરજિયાતપણે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કોર્પોરેશન દ્વારા પાલતુ પ્રાણીઓ પર દેખરેખ રાખવા અને તેની વસ્તી તેમજ રસીકરણ અંગેની માહિતી મેળવવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. જે નાગરિકો આ નિયમનું પાલન નહીં કરે, તેમને તંત્ર દ્વારા કરવામાં આવતી ચેકિંગની કાર્યવાહી દરમિયાન દંડ ભરવો પડી શકે છે.અગાઉ AMC માત્ર પાલતુ કૂતરાઓના રજીસ્ટ્રેશન માટે આગ્રહ રાખતું હતું, પરંતુ વધતા જતા પાલતુ બિલાડીઓના પ્રમાણને ધ્યાનમાં રાખીને તંત્રએ હવે આ મર્યાદા વધારી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં પાલતુ પ્રાણીઓની સંખ્યાનું સચોટ ડેટાબેઝ તૈયાર કરવાનો અને જાહેર આરોગ્યને લગતી જવાબદારીઓ સુનિશ્ચિત કરવાનો છે. બિલાડી પાળતા માલિકોને વહેલી તકે AMCની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. Previous Post Next Post