પી.એમ. મોદીના આગમન પૂર્વે 57 ટકા નિકાસને ટેરિફ મુક્તિની ન્યૂઝીલેન્ડની જાહેરાત Jul 09, 2026 નવી દિલ્હી,પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર હેઠળ નિકાસને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં હવે ન્યુઝીલેન્ડની મુલાકાત પર વિશ્વભરની નજર છે. પીએમ મોદી ન્યુઝીલેન્ડ પહોંચે તે પહેલા જ ત્યાંના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જતી એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ નિર્ણય બંને રાષ્ટ્રો વચ્ચેની ગાઢ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા તરફનું એક મક્કમ પગલું માનવામાં આવે છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મહત્વની માહિતી શેર કરતા પીએમ ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું કે, ભારત સાથેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અમલમાં આવતાની સાથે જ ન્યુઝીલેન્ડની ૫૭ ટકા નિકાસને આયાત શુલ્ક (ટેરિફ) માંથી મુક્તિ આપવામાં આવશે. આ પગલાથી ન્યુઝીલેન્ડના વ્યવસાયો માટે ભારતીય બજારમાં નવી તકોના દરવાજા ખુલશે. કરારના પ્રથમ દિવસથી જ અડધાથી વધુ નિકાસ થતી પ્રોડક્ટ્સ ટેરિફ-મુક્ત થવાથી નિકાસકારોનો ખર્ચ ઘટશે, જેના પરિણામે ન્યુઝીલેન્ડના ઉત્પાદનો ભારત જેવા વિશાળ બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે.વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન વેપાર, ઉર્જા અને રણનીતિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પીએમ લક્સનની આ જાહેરાત સ્પષ્ટ કરે છે કે ન્યુઝીલેન્ડ ભારત સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ મુક્ત વેપાર કરાર બંને દેશોના વેપારી સમુદાય માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને લાંબા ગાળે આર્થિક સંબંધોને વધુ ગતિશીલ બનાવશે. પીએમ મોદીના આગમન પૂર્વે લેવાયેલ આ નિર્ણયે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યું છે. Previous Post Next Post