દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ અને પ્રદૂષણ ચરમસીમાએ, AQI 400 પાર થતા હવા અત્યંત ઝેરી બની

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ અને પ્રદૂષણ ચરમસીમાએ, AQI 400 પાર થતા હવા અત્યંત ઝેરી બની

દિલ્હી અને એનસીઆરમાં છેલ્લા અનેક દિવસોથી ભારે ધુમ્મસ અને પ્રદૂષિત હવાનું દોર ચાલુ છે. મંગળવારની સવારે હવાના ગુણાંક (AQI)ના આંકડા ફરી ચિંતાજનક રહ્યા હતા. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ દિલ્હીનો સરેરાશ AQI 341 નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે.

શહેરના અનેક વિસ્તારોમાં AQI 400ની આસપાસ કે તેનાથી વધુ નોંધાયો છે. બવાનામાં AQI 419, જહાંગીરપુરીમાં 414, ચાંદની ચોકમાં 379 તો આનંદ વિહારમાં 381 સુધી પહોંચી ગયો હતો. એનસીઆરના નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ જેવા વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ગંભીર સ્તરે છે.

સોમવારની તુલનામાં હવામાન થોડું સુધર્યું હોવા છતાં પરિસ્થિતિ હજી ગંભીર છે. કૃત્રિમ વરસાદ અને અન્ય પ્રયાસો છતાં પ્રદૂષણમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. સતત ઝેરી હવાના કારણે નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી, આંખોમાં ચોળા અને ગળામાં ચરસ જેવા લક્ષણો વધી રહ્યા છે.

હવાની ગુણવત્તા સુધારવા માટે લાગુ કરાયેલા ગ્રેપ-3ના પ્રતિબંધો હોવા છતાં પરિસ્થિતિમાં ખાસ ફેરફાર આવ્યો નથી. નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર ન થાય તો પ્રદૂષણનો કહેર યથાવત રહેશે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ