ગોવિંદાને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ, બહાર આવી ચાહકો સાથે કરી વાત અને આપ્યું હેલ્થ અપડેટ

ગોવિંદાને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ, બહાર આવી ચાહકો સાથે કરી વાત અને આપ્યું હેલ્થ અપડેટ

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તાજેતરમાં તેમને બેભાન અવસ્થામાં મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, ગોવિંદાને વધુ પડતા થાક અને હેવી વર્કઆઉટને કારણે તબિયત બગડી હતી. હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઘરે આરામ કરી રહ્યા છે.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ગોવિંદાએ મીડિયાને જણાવ્યું કે હવે તેઓ સારું અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું, “હું હવે બરાબર છું, પરંતુ વધારે જિમિંગ કરવાથી થાક લાગી ગયો હતો. યોગ અને પ્રાણાયામ શ્રેષ્ઠ છે, હેવી એક્સરસાઇઝ શરીર માટે ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે. હું મારી ફિટનેસ સુધારવા પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હવે સમજાયું કે પ્રાણાયામ જ સૌથી સારું છે.”

બુધવારે વહેલી સવારે, લગભગ રાત્રે 1 વાગ્યે, ગોવિંદાને ઈમરજન્સી અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અભિનેતાના વકીલ અને મિત્ર લલિત બિંદલએ જણાવ્યું હતું કે, “ગોવિંદાએ પહેલા ડૉક્ટર સાથે ફોન પર વાત કરી દવા લીધી હતી, પરંતુ તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “છેલ્લા એક મહિનાથી ગોવિંદા સતત વ્યસ્ત શેડ્યૂલમાં હતા, જેના કારણે થાક અને સ્ટ્રેસ વધ્યો હતો. ડૉક્ટરોએ હવે તેમને પૂરતો આરામ અને સંતુલિત આહાર રાખવાની સલાહ આપી છે.”

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગોવિંદાએ પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમની શુભેચ્છાઓ અને પ્રેમથી જ તેઓ ઝડપથી સાજા થઈ શક્યા.

You may also like

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ:  ઇટલીના પીએમ મેલોની

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ: ઇટલીના પીએમ મેલોની

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ