જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગર શહેરમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જ્યાં રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું પાણીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.

માહિતી મુજબ, જામનગરના હનુમાન ટેકરી નજીકના કામળિયા વાસ વિસ્તારમાં રહેતા યુવક (ઉંમર 40) તા. 10મીના રોજ પોતાના ઘરનાં મંદિરનો પૂજાપાનો સામાન રણમલ તળાવમાં પધરાવવા ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ પાણીમાં પડી ગયા હતા અને બહાર આવી શક્યા ન હતા. પરિણામે તેમનું સ્થળ પર જ ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

ઘટના બાદ મૃતકની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સીટી એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ દ્વારા સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવાર પર અચાનક આ ઘટનાથી શોકનો માહોલ છવાઈ ગયો છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો