પ્રતાપનગર યાર્ડમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે વડોદરા વિભાગમાં 14 નવેમ્બરે મેમુ અને પેસેન્જર ટ્રેનો રદ થશે

પ્રતાપનગર યાર્ડમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે વડોદરા વિભાગમાં 14 નવેમ્બરે મેમુ અને પેસેન્જર ટ્રેનો રદ થશે

વડોદરા રેલવે વિભાગમાં 14 નવેમ્બરના રોજ પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ કામગીરી વિશ્વામિત્રીથી ડભોઈ વચ્ચેના રેલવે સેક્શનને અસર કરશે, જેના કારણે મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે.

આ બ્લોક દરમિયાન પ્રતાપનગરથી એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો રદ રહેશે. તે ઉપરાંત પ્રતાપનગરથી છોટાઉદેપુર અને પ્રતાપનગરથી જોબટ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. કુલ 12 ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, અલીરાજપુરથી પ્રતાપનગર વચ્ચેની પેસેન્જર ટ્રેન માત્ર ડભોઈ સુધી દોડશે અને ડભોઈથી પ્રતાપનગર વચ્ચે સેવા બંધ રહેશે. તેવી જ રીતે પ્રતાપનગરથી અલીરાજપુર જતી ટ્રેન ડભોઈથી આગળ જ ચલાવવામાં આવશે.

વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરીની યોજના બનાવતી વખતે આ ફેરફારોને ધ્યાનમાં રાખે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 9થી 13 નવેમ્બર દરમિયાન પણ સમાન પ્રકારના બ્લોકને કારણે પ્રતાપનગરથી છોટાઉદેપુર અને એકતાનગર તરફની મેમુ તથા પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો