રાજકોટના નવાગામમાં કરુણ ઘટના: માતાએ બે દીકરીઓની હત્યા બાદ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

રાજકોટના નવાગામમાં કરુણ ઘટના: માતાએ બે દીકરીઓની હત્યા બાદ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરના નવાગામ વિસ્તારમાં આવેલા શક્તિ સોસાયટીમાં દિલ દ્રવી જાય તેવી દુર્ઘટના સામે આવી છે. અહીં નિવાસ કરતી 32 વર્ષની અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે નાની દીકરીઓ – 7 વર્ષની પ્રિયાંશી સોલંકી અને 5 વર્ષની હર્ષિતા સોલંકીની ગળેફાંસો આપી હત્યા કરી હતી. તે બાદ અસ્મિતાબેન પોતે પણ છત ઉપર ખૂંટીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

ઘટના અંગે જાણ થતાં તરત જ પોલીસના વિભાગો ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતદેહોને કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હત્યા અને આપઘાત પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરિવારજનોથી લઈને આસપાસના લોકો સુધી બધા જ આ દુર્ઘટનાથી હચમચી ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, જેના કારણે અસ્મિતાબેને આવા ગંભીર પગલા શા માટે ભરી લીધા તે અંગે પોલીસ તપાસ આગળ વધી રહી છે.

પોલીસે મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળનું વૈજ્ઞાનિક તપાસ કાર્ય પૂરું કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જ હકીકત વધુ સ્પષ્ટ બનશે.

સમગ્ર નવાગામ વિસ્તારમાં આ ઘટના બાદ શોક અને ચકચાર ફેલાઈ છે. ત્રણેય સભ્યોના આકસ્મિક મોતથી વિસ્તારના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ