દિલ્લી હુમલાના પગલે લાલ કિલ્લા પર રામ ચરણની ફિલ્મનું શૂટિંગ રદ, નિર્માતાઓએ સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો

દિલ્લી હુમલાના પગલે લાલ કિલ્લા પર રામ ચરણની ફિલ્મનું શૂટિંગ રદ, નિર્માતાઓએ સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો

દિલ્હી હુમલાના પગલે લાલ કિલ્લા પર રામ ચરણની ફિલ્મનું શૂટિંગ મુલતવી

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના વિસ્ફોટ અને સુરક્ષાના વધારા પગલે રામ ચરણની આગામી ફિલ્મનું શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું  શૂટિંગ 17 નવેમ્બરે લાલ કિલ્લાની અંદર અને આસપાસ યોજવાનો હતો, પરંતુ આતંકવાદી હુમલાની પરિસ્થિતિગત  જોખમને કારણે નિર્માતાઓએ આ નિર્ણય લીધો.

નિર્માતાઓએ અગાઉ શેડ્યૂલ માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી મેળવી લીધી હતી, પણ હાલની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને શૂટિંગ હવે મોડી કરવામાં આવ્યું છે. શૂટિંગ ફરી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ તફસીલાત જાહેર કરવામાં આવી નથી.

આ ઘટનાથી રામ ચરણ ઉપરાંત અન્ય ફિલ્મો પર પણ અસર પડી છે. શાહિદ કપૂર, રશ્મિકા મંદન્ના અને કૃતિ સેનનની ફિલ્મ ‘કોકટેલ 2’નું શૂટિંગ પણ દિલ્હીમાં થવાનું હતું, જે હવે મોડી થશે. નવી તારીખની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે.

સૂત્રો મુજબ, નિર્માતાઓ પ્રથમ 15 અને 16 નવેમ્બર માટે શેડ્યૂલ કરેલા હતા, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે તમામ શેડ્યૂલ મુલતવી રાખવામાં આવ્યા છે. આ નિર્ણય દ્વારા શૂટિંગ દરમિયાન તમામ ટીમ અને કલાકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ