દિલ્હી બ્લાસ્ટના આરોપીઓને છોડવામાં નહીં આવે : ભુતાનથી PM મોદીની કડક પ્રતિક્રિયા

દિલ્હી બ્લાસ્ટના આરોપીઓને છોડવામાં નહીં આવે : ભુતાનથી PM મોદીની કડક પ્રતિક્રિયા

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનથી પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “દોષિતોને કોઈપણ રીતે છોડવામાં નહીં આવે. તપાસ એજન્સીઓ કાવતરાના ઊંડાણ સુધી જશે.”

પીએમ મોદી હાલ ભુતાન પ્રવાસે છે, જ્યાં તેમણે આ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ઘટનાએ મને વ્યથિત કર્યો. પીડિત પરિવારોના દુઃખમાં આખો દેશ ભાગીદાર છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે ગઈકાલે રાતે તેઓ સતત તપાસ એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં રહ્યા હતા અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે તમામ એજન્સીઓને નિષ્પક્ષ અને ઝડપી તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી દોષિતો સામે કડક કાર્યવાહી થઈ શકે.

પીએમ મોદીએ ઘાયલ વ્યક્તિઓના જલદી સ્વસ્થ થવા માટે શુભેચ્છા વ્યક્ત કરી અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી.

ભુતાન પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને ભુતાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ રહી છે. બંને દેશો વચ્ચે ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહકાર જેવા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા થશે.

આ પ્રસંગે બંને દેશના નેતાઓ 1020 મેગાવોટ ક્ષમતા ધરાવતી પુનાત્સાંગછૂ-II જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે, જે ભારત-ભુતાન ઊર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ ભુતાનના તાશીછોજોંગ મઠ ખાતે ભારતમાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના દર્શન કર્યા અને *“ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ”*માં પણ હાજરી આપી.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો