ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટની ૧૦ કિ.મી. લાંબી ટનલનું સફળ બ્રેકથ્રૂ Sep 12, 2026 દેહરાદૂન,૨૮માંથી ૨૨ ટનલનું કામ પૂર્ણ: પર્વતીય ક્ષેત્રમાં ટૂંક સમયમાં રેલ સેવા સાકાર થવાના એંધાણઉત્તરાખંડના દુર્ગમ પહાડી પ્રદેશોમાં રેલવે નેટવર્કને વિસ્તારવા માટે ચાલી રહેલા મહત્ત્વાકાંક્ષી 'ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ' અંતર્ગત એક મોટી સફળતા હાંસલ થઈ છે. એન્જિનિયરોની ટીમે ઢાલવાલાથી નીર ગડ્ડુ વચ્ચે આવેલી આશરે ૧૦ કિલોમીટર લાંબી પ્રથમ એસ્કેપ ટનલનું સફળ બ્રેકથ્રૂ પૂરું કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિથી પર્વતોની ગોદમાં રેલવે સેવાઓ શરૂ થવાના સ્વપ્નને સાકાર થવામાં વધુ એક મોટું પગલું આગળ વધ્યું છે.આ ટનલ નિર્માણના કાર્ય દરમિયાન અણધાર્યા ભૂગર્ભીય પડકારો, જટિલ શૈલ રચનાઓ અને અચાનક સામે આવેલા જળસ્રોતો જેવી ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ સમગ્ર મહાપ્રોજેક્ટની વિશાળ રૂપરેખા મુજબ કુલ ૨૮ ટનલોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં ૨૨ જેટલી ટનલોનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ટનલ નેટવર્કના આ મોટા હિસ્સાના પૂર્ણ થવાથી હવે ઉત્તરાખંડના પહાડી ક્ષેત્રોમાં ટૂંક સમયમાં જ રેલવે સેવાઓ શરૂ થવાની પ્રબળ સંભાવનાઓ ઉજળી બની છે.