માત્ર ૨૨ દિવસમાં ખાંડના ભાવમાં રૂ. ૧૬ સુધીનો મોટો ઘટાડો Sep 15, 2026 અમદાવાદ,સરકારની કંટ્રોલિંગ પોલિસીથી ભાવ નિયંત્રણમાં, સામાન્ય જનતાને હાશકારોસરકારના કડક વલણ અને બજાર પરના ચુસ્ત નિયંત્રણોના પરિણામે છેલ્લા ૨૨ દિવસના ટૂંકા ગાળામાં ખાંડના ભાવમાં રૂ. ૧૬ સુધીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી તહેવારોની મોસમ પહેલાં રસોડાનું બજેટ હળવું બન્યું છે.અગાઉ બજારમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ અને અનિયમિત સ્ટોક હોલ્ડિંગના કારણે ખાંડના ભાવ સતત ઉંચકાઈ રહ્યા હતા. આ સ્થિતિને ગંભીરતાથી લઈને કેન્દ્ર અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા બજારમાં સપ્લાય સુધારવા તેમજ કડક નિયમો લાગુ કરવા માટે આક્રમક પગલાં લેવામાં આવ્યા હતા. સરકારી એજન્સીઓની કડકાઈ અને સઘન ચેકિંગના કારણે બજારમાં બિનજરૂરી સંગ્રહખોરી પર અંકુશ આવ્યો છે.વેપારી વર્તુળોનું માનવું છે કે સરકારની આ નીતિઓ અને નવા નિયમોના સમયસરના અમલીકરણથી આગામી દિવસોમાં પણ બજારમાં સ્થિરતા જળવાઈ રહેશે. ખાંડના ભાવો ઘટવાને કારણે ચા, મીઠાઈ તેમજ બેકરી ઉત્પાદનો સાથે સંકળાયેલા નાના વેપારીઓને પણ રાહત અનુભવાઈ રહી છે. Previous Post Next Post