ભુતાનથી વાપસી બાદ PM મોદી સીધા LNJP હોસ્પિટલ પહોંચ્યા, દિલ્હીના કાર બ્લાસ્ટમાં ઘાયલ પીડિતોને મળ્યા Nov 12, 2025 ભુતાન પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા દિલ્હીની LNJP હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તાજેતરના કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને હોસ્પિટલમાં જઈને દર્દીઓની તબિયત વિશે જાણકારી લીધી અને ડોક્ટરોને તેમની યોગ્ય સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપી.સત્તાવાર માહિતી મુજબ, દિલ્હી વિસ્ફોટમાં આશરે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘણા દર્દીઓને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે કેટલાકને સામાન્ય સારવાર બાદ રજા અપાઈ છે. વડાપ્રધાને ઈજાગ્રસ્તોને હિંમત આપી અને કહ્યું કે, દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે.આ દુર્ઘટના 10 નવેમ્બરની સાંજે બની હતી, જ્યારે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની નજીક એક કારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. અચાનક થયેલા આ ધડાકાથી આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે.આ ઘટનાએ સમગ્ર દેશમાં ચિંતા અને ચકચાર મચાવી દીધી છે. સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે અને દિલ્હી સહિત દેશના મુખ્ય શહેરોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, “જે લોકોએ નિર્દોષ નાગરિકો પર આ હિંસા ફેલાવી છે, તેમને કોઈપણ રીતે માફી નહીં આપવામાં આવે. દેશની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”હોસ્પિટલમાં વડાપ્રધાનની હાજરી દરમિયાન ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોને થોડી આશા અને આત્મવિશ્વાસનો અનુભવ થયો હતો. LNJP હોસ્પિટલના તબીબો સતત દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે, અને સરકાર તરફથી પણ જરૂરી મદદની જાહેરાત કરવામાં આવી છે. Previous Post Next Post