વેરાવળ ચોપાટી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દિવ્ય યોગ શિબિર યોજાશે

વેરાવળ ચોપાટી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દિવ્ય યોગ શિબિર યોજાશે

વેરાવળ : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમજ ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના ભાગરૂપે વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી વેરાવળ ચોપાટી ખાતે વિશાળ દિવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગ શિબિર આજ રોજ બપોરે 4.30 થી સાંજે 6.00 વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર-સોમનાથ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાશે.

શિબિર દરમિયાન ભાગ લેનાર નાગરિકોને મેદસ્વિતા દૂર કરવા માટેના ખાસ આસનો, પ્રાણાયામ, અને વ્યાયામ કરાવવામાં આવશે. સાથે જ ધ્યાન (મેડિટેશન), કમર સંબંધિત આસનો, તેમજ લાફિંગ થેરાપી જેવા પ્રયોગો પણ કરાવવામાં આવશે.

આ યોગ શિબિરનો હેતુ નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો અને શરીર-મનના સંતુલન દ્વારા મેદસ્વિતાને ઘટાડવાનો છે. કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકોને હાજરી આપવા આહ્વાન કરવામાં આવ્યું છે જેથી ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું સ્વપ્ન સાકાર બની શકે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો