Gujrat હેડિંગસૌરાષ્ટ્રના ૩૪ ડેમોમાં નવા નીર, ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો: ૫૯ દરવાજા ખોલાયા Read More
Gujrat રાજકોટમાં જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ પ્લોટ ભાડે આપશે રાજકોટ, નાનામૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ અને અમીન માર્ગ કોર્નર પરના પ્લોટ કરાશે ફાળવવામાંશહેરમાં આગામી જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ નિમિત્તે શહેરીજનો મનોરંજન માણી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી મેળાના આયોજન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરના ત્રણ મહત્વના અને વ્યસ્ત વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટ મેળાના હેતુ માટે ભાડે આપવામાં આવશે.મળતી માહિતી મુજબ, મનપા દ્વારા નાનામૌવા સર્કલ પાસે, સાધુવાસવાણી રોડ પર તેમજ અમીન માર્ગ કોર્નર પર આવેલા પ્લોટ મેળાના આયોજન માટે ફાળવવામાં આવશે. આ ત્રણેય સ્થળોએ મેળો યોજવાથી નાગરિકો સરળતાથી પહોંચી શકશે અને તહેવારની ઉજવણીનો આનંદ માણી શકશે. આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી મેળાના આયોજન માટે તંત્ર દ્વારા કવાયત શરૂઆ મેળાના આયોજન માટે મનપાના સબંધિત વિભાગ દ્વારા પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં જ આ ત્રણેય પ્લોટ ભાડે આપવા માટે સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા પ્રસિદ્ધ કરવામાં આવશે, ત્યારબાદ નિયમોનુસાર યોગ્ય આયોજકને પ્લોટની ફાળવણી કરવામાં આવશે. તંત્રની આ કવાયતથી જન્માષ્ટમીના પર્વ પર શહેરમાં મેળાઓ જામશે અને વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે.
India શ્રીકાંત શિંદેને કેબિનેટમાં સ્થાન મળવાની અટકળો તેજ નવી દિલ્હીદિલ્હી તાબડતોબ પહોંચેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠકનો દૌરકેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત મોટા ફેરફારો અને વિસ્તરણની ચર્ચાઓએ દેશના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આગામી શિક્ષણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની ધુરા હવે કોણ સંભાળશે અને દેશના નવા શિક્ષણ મંત્રી કોણ બનશે?શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ચર્ચાઓ પાછળ ભાજપ હાઈકમાન્ડની રણનીતિ હોવાનું મનાઈ રહ્યું છે. પાર્ટી તેમને સંગઠનમાં કોઈ મોટી અને મહત્ત્વની રાષ્ટ્રીય જવાબદારી સોંપવાના મૂડમાં હોવાની ચર્ચા છે.કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણના સંકેતો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અચાનક દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે હાઈ-લેવલ બેઠક યોજી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાંથી કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ વધારવા અને આગામી રાજકીય સમીકરણો તથા સંગઠનાત્મક સંતુલન જાળવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ રહી હોવાનું મનાય છે.એકનાથ શિંદેની શિવસેના તરફથી કલ્યાણના સાંસદ અને મુખ્યમંત્રીના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવી પ્રબળ શક્યતા છે. જો શિવસેનાના યુવા ચહેરા એવા શ્રીકાંત શિંદેને કેન્દ્રમાં સ્થાન મળે, તો તેનાથી મહારાષ્ટ્રમાં ગઠબંધન વધુ મજબૂત બનશે અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળશે.આગામી સમયમાં કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠનને વધુ ધારદાર બનાવવાની રણનીતિના ભાગરૂપે આ ફેરફારો અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કેટલાક મંત્રીઓની કામગીરી અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રાલયોની ફેરફાર અને ખાતાવહીમાં મોટા નિર્ણયો જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
Gujrat હેડિંગસૌરાષ્ટ્રના ૩૪ ડેમોમાં નવા નીર, ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો: ૫૯ દરવાજા ખોલાયા ભાવનગર,રાજકોટના આજી-2 ઓવર ફલો થતાં 6 દરવાજા ખોલાયાચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી તરસી રહેલી નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ ૩૪ જેટલા ડેમોમાં નવા પાણીની આવક થઈ છે, જેનાથી સમગ્ર પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.મહત્વની અપડેટ મુજબ, ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથક તથા સમગ્ર વિસ્તાર માટે જીવાદોરી સમાન ગણાતો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં બીજી વખત પૂર્ણ સપાટીએ ભરાઈને ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં આવેલા અમરેલી અને ધારી વિસ્તારમાં પડેલા સાર્વત્રિક તથા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક સતત ચાલુ રહી છે.ડેમની જળસપાટી પર નિયંત્રણ મેળવવા અને 'રૂલ લેવલ' જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેના દ્વારા અંદાજે ૯,૪૪૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાજા તાલુકાના ૧૨ અને પાલીતાણા તાલુકાના ૫ સહિત કુલ ૧૭ જેટલા નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ પશુઓને કિનારે ન લઈ જવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.બીજી તરફ, રાજકોટ પંથકમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસતા શહેરનો આજી-2 ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. પાણીની આવક વધતાં આજી-2 ડેમના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે પડધરી તાલુકાના ૧૦ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રભરમાં જળાશયો છલકાવાના આ સમાચારથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને પીવાના તેમજ સિંચાઈના પાણીની ચિંતાઓ દૂર થઈ છે.
Gujrat ગુજરાતમાં વરસાદી તાંડવ: પૂરથી 56નાં મોત, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ યથાવત ગુજરાતના 255 માંથી 253 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.25 ઈંચ જ્યારે પાટણના રાધનપુરમાં 9.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે એક જ દિવસમાં 30736 સ્થળાંતર જ્યારે 3 હજારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલે 7 જિલ્લામાં રેડ જ્યારે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.ભારે વરસાદના કારણે લોકલ નદીઓ બે કાંઠે થતાં નીચાણવાળા સોસાયટીઓ અને ગામડાંઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના લીધે મોટી જાનહાનિ નોંધાઈ છે. મળતી તાજી સત્તાવાર વિગતો મુજબ, રાજ્યમાં વરસાદી આફત અને પૂરના લીધે અત્યાર સુધીમાં કુલ 56 લોકોના મોત નીપજ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર છેલ્લા ચાર દિવસના ગાળામાં એટલે કે 21 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન જ રાજ્યભરમાં 31 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા 31 મોતમાંથી મોટાભાગની જાનહાનિ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને આસપાસના વિસ્તારોમાં થઈ છે. અહીં પૂર્ણા, કાવેરી, અંબિકા અને ઓરંગા નદીઓમાં આવેલા ઘોડાપૂરમાં અનેક લોકો તણાઈ ગયા હતા, તો કેટલાંક સ્થળોએ વીજળી પડવાથી તથા કાચાં મકાનો-દિવાલો ધરાશાયી થવાથી લોકો કાળનો કોળિયો બન્યા હતા.આ અગાઉ જ્યારે સુરત શહેર અને જિલ્લામાં મુસળધાર વરસાદ સાથે પૂરની ગંભીર કટોકટી સર્જાઈ હતી, ત્યારે જળબંબાકારના કારણે 25 લોકોના અકાળે મોત નીપજ્યા હતા. આમ, અગાઉના 25 અને આ ચાર દિવસમાં નોંધાયેલા 31 મળીને રાજ્યનો કુલ વરસાદી મૃત્યુઆંક 56 પર પહોંચ્યો છે. પૂર પીડિતો માટે કેશડોલ્સ અને મૃતકોના પરિવારજનોને સરકારી નિયમોનુસાર તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.કયા તાલુકામાં વધારે વરસાદ?સાંતલપુર (પાટણ) - 12.25 ઈંચરાધનપુર (પાટણ) - 9.50 ઈંચભાભર (વાવ થરાદ) - 7.15 ઈંચદાંતીવાડા (બનાસકાંઠા) - 7.00 ઈંચદિયોદર (વાવ-થરાદ) - 6.75 ઈંચમહેમદાવાદ (ખેડા) - 6.70 ઈંચથાનગઢ (સુરેન્દ્રનગર) - 6.50 ઈંચવાંકાનેર (મોરબી) - 6.50 ઈંચનડિયાદ (ખેડા) - 5.50 ઈંચધનસુરા (અરવલ્લી) - 4.50 ઈંચખેરાલુ (મહેસાણા) - 4.50 ઈંચહડાદ (બનાસકાંઠા) - 4.50 ઈંચઆગથળા (બનાસકાંઠા) - 4.50 ઈંચદહેગામ (ગાંધીનગર) - 4.25 ઈંચવિરપુર (મહીસાગર) - 4.00 ઈંચપાણીમાં ફસાયેલા હજારો લોકોનું રેસ્ક્યુછેલ્લા 24 કલાકમાં વલસાડમાંથી સૌથી વધુ 14083, નવસારીમાંથી 12367, સુરતમાંથી 2810, અમદાવાદમાંથી 417 લોકો પાણીમાં ફસાયેલા હોવાથી અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. એક દિવસમાં વલસાડમાંથી 2665 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. 1 જૂન 2026 થી 23 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના 40665 વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે જ્યારે 6766નું રેસ્ક્યુ કરાયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધારે પ્રભુત્વ રહ્યું હતું. પાટણના સાંતલપુરમાં 12.25 ઈંચ, પાટણના રાધનપુરમાં 9.50, વાવ-થરાદમાં 7.15 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જનજીવન ખોરંભે, 1200થી વધુ રોડ બંધભારે વરસાદને પગલે હાલ રાજ્યના 1204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં વલસાડ જિલ્લાના સૌથી વધુ 461 રોડનો સમાવેશ થાય છે. હાલ જે રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે તેમાં 30 સ્ટેટ હાઈવે, 1119 પંચાયત માર્ગ, ચાર નેશનલ હાઈવે, 3 NHAI જ્યારે 48 અન્ય માર્ગનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો નવસારીમાં 248, સુરતમાં 244, તાપીમાં 190, ડાંગમાં 19, સુરેન્દ્રનગરમાં 11, અમદાવાદના 8 હાઈવેનો સમાવેશ થાય છે.વીજળી-પાણી સંકટવરસાદથી 4095 ગામડામાં અંધારપટ છવાયો હતો. આ પૈકી 3762 ગામડામાં વીજપુરવઠો પૂર્વવત થયો છે અને 333માં હજુ અંધારપટ છે. 8207 ફીડર્સ, 7882 પોલ્સ અને 409 ટ્રાન્સફોર્મેશન સેન્ટરને ભારે વરસાદથી નુકસાન થયેલું છે.ડેમ અને જળસ્તરગુજરાતના મોટાભાગના સ્થળે વરસાદને પગલે જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હાલ 10 જળાશયો છલોછલ છે જ્યારે 15 જળાશયો હાઈએલર્ટ હેઠળ છે. ગુજરાતના 207 જળાશયોમાં હાલ સરેરાશ 52.72 ટકા જળસ્તર છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પાંચ જ્યારે સૌરાષ્ટ્રમાંથી પાંચ એમ 10 જળાશયો સંપૂર્ણ 100 ટકા ભરાયા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 39.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 23.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 44.80 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.72 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.63 ટકા જળસ્તર છે. રાજ્યના 24 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 22 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા, 50 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે જ્યારે 100 જળાશયમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 68.33 ટકા જળસ્તર છે.ક્યાં કેવું એલર્ટરેડ એલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર.ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ
India શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પી.એમ.ને રાજીનામુ મોકલી આપ્યું કોક્રોચ પાર્ટીમાં જશ્નનો માહોલ, અંતે "ધર્મેન્દ્ર" હવે "પ્રધાન" ન રહ્યાનીટ પેપરલીક મામલે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ આખરે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે બપોરે 2 વાગ્યા પછી રાજીનામું આપ્યું છે. છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા.ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં શું લખ્યું?પોતાના અધિકૃત પત્રમાં દેશના યુવાનોને સંબોધતા ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી છાત્રો, શિક્ષકો અને શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્યો છું. દેશના યુવાનોની આકાંક્ષાઓ અને ન્યાયી અપેક્ષાઓનું હું ઊંડું સન્માન કરું છું. 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા જ સરકારે તુરંત તપાસ સીબીઆઈને સોંપી હતી. પરંતુ છેલ્લા 10 દિવસના ઘટનાક્રમથી મારું મન અત્યંત વ્યથિત થયું છે.જંતર-મંતર પર અને દેશમાં જે સ્થિતિ બની છે, તેનો 'રાષ્ટ્ર વિરોધી તાકાતો' લાભ ના ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ના અટવાય અને આપણા બાળકો અભ્યાસ તથા કરિયર પર ધ્યાન આપી શકે, તે માટે મેં મારું ત્યાગપત્ર વડાપ્રધાનને મોકલી આપ્યું છે. પ્રથમ દિવસથી જ મેં આ સમગ્ર મામલે જવાબદારી લીધી હતી અને ક્યારેય આ પરિસ્થિતિથી મોં ફેરવ્યું નથી. મારો એ જ સંકલ્પ હતો કે આપણે પરીક્ષા માફિયાઓને કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા દઈશું નહીં.આંદોલનની ૩ મુખ્ય માંગણીઓ જે સરકારે સ્વીકારીદિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક મહિનાથીnઆક્રોશિત વિદ્યાર્થીઓ કેમ્પિંગ કરી રહ્યા હતા. શુક્રવારે સરકારે વિદ્યાર્થીઓની બે માંગણીઓ સ્વીકારી લીધી હતી, પરંતુ રાજીનામા અંગે મૌન સેવ્યું હતું. શિક્ષણ મંત્રીના રાજીનામા સાથે જ વિદ્યાર્થીઓની તમામ ૩ મુખ્ય માંગણીઓ પૂરી થઈ ગઈ છે જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં. NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર.જંતર-મંતર પર ઉજવણી: અમે કરી બતાવ્યુંશિક્ષણ મંત્રીના રાજીનામાના સમાચાર મળતાં જ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને સમગ્ર વાતાવરણ 'વિદ્યાર્થી એકતા ઝિંદાબાદ' ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. જંતર-મંતરના સ્ટેજ પરથી જાહેરાત કરતાં અભિજીત દીપકે કહ્યું, "લોકો કહેતા હતા કે આ સરકારમાં કોઈ રાજીનામું આપતું નથી. પરંતુ અમે આ કરી બતાવ્યું છે. વિદ્યાર્થી શક્તિનો વિજય થયો છે." CJP ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ "Long Live Student Power" ની પોસ્ટ મૂકવામાં આવી હતી.
Rajkot સ્વાસ્થ્ય "સંપતિ" સંવર્ધન માટે "હેલ્થ ટાઈમ્સ"નો પ્રારંભ રાજકોટ,અગ્રણી તબીબો, આરોગ્ય સંસ્થાઓની ઉપસ્થિતિમાં પ્રથમ અંકનું વિમોચનછેલ્લા આઠ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વસનીય, તટસ્થ અને સકારાત્મક પત્રકારત્વની ઓળખ ઉભી કરનાર 'સંપત્તિ ટાઈમ્સ' પાક્ષિક દ્વારા હવે સમાજના સર્વાંગી વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાન તરીકે 'હેલ્થ ટાઈમ્સ' સપ્લીમેન્ટરી આવૃત્તિનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું છે. તબીબી જ્ઞાન, વૈજ્ઞાનિક માહિતી અને જનજાગૃતિ વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ રચવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલા આ નવા પ્રકાશનના પ્રથમ અંકનું રાજકોટમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.વિમોચન સમારોહમાં RBA પ્રમુખ પરેશ ગજેરા, IMA રાજકોટ પ્રમુખ ડૉ. તેજસ કરમટા, IMA રાજકોટ સેક્રેટરી ડૉ. બીરજુ મોરી, Federation of AYUSH Doctors Rajkotના પ્રમુખ ડૉ. એમ.વી. વેકરીયા, IFS Gujarat State Head ડૉ. સંજય દેસાઈ, 'હેલ્થ ટાઈમ્સ'ના Managing Editor ડૉ. પ્રતીક્ષા દેસાઈ, 'સંપત્તિ ટાઈમ્સ'ના Editor પ્રવીણ શીંગાળા, રાજેશ દત્તાણી ઉપરાંત પ્રશાંત પંડયા સહિતના મહાનુભાવો, રાજકોટના અગ્રણી તબીબો, વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ હેલ્થ ટાઈમ્સને આરોગ્ય ક્ષેત્રમાં સમયોચિત અને સમાજલક્ષી પહેલ ગણાવી તેને શુભકામનાઓ પાઠવી હતી.ડૉ. સંજય દેસાઈ અને ડૉ. પ્રતીક્ષા દેસાઈના માર્ગદર્શન હેઠળ 'હેલ્થ ટાઈમ્સ'નો પ્રારંભ'સંપત્તિ ટાઈમ્સ'એ અત્યાર સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ, ડેવલપર્સ, પ્રોફેશનલ્સ અને ગ્રાહકો વચ્ચે વિશ્વસનીય માહિતી અને સકારાત્મક સંવાદનું મંચ ઊભું કર્યું છે. એ જ વિશ્વાસને હવે આરોગ્ય ક્ષેત્ર સુધી વિસ્તૃત કરવાનો સંકલ્પ હેલ્થ ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકાશનનો હેતુ માત્ર આરોગ્ય સંબંધિત સમાચાર આપવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિક સુધી નિષ્ણાત ડૉક્ટર્સનું વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત માર્ગદર્શન સરળ ભાષામાં પહોંચાડવાનો છે.સંપત્તિ ટાઈમ્સ પાક્ષિકની સપ્લીમેન્ટરી પ્રકાશન તરીકે 'હેલ્થ ટાઈમ્સ'ની આ પહેલમાં રાજકોટના જાણીતા તબીબી નિષ્ણાત ડૉ. પ્રતીક્ષા દેસાઈ Managing Editor તરીકે અને ડૉ. સંજય દેસાઈના માર્ગદર્શન સાથે સમગ્ર સામગ્રીને વૈજ્ઞાનિક પ્રમાણિકતા અને સરળ રજૂઆત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંપત્તિ ટાઈમ્સના તંત્રી પ્રવીણ શીંગાળાના પત્રકારત્વનો અનુભવ અને તબીબી નિષ્ણાતોના જ્ઞાનનો આ સમન્વય હેલ્થ ટાઈમ્સને અન્ય આરોગ્યલક્ષી પ્રકાશનોથી અલગ ઓળખ આપશે.હેલ્થ ટાઈમ્સ માં શું જાણવા મળશે? હેલ્થ ટાઈમ્સમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર, જીવનશૈલી, મહિલા અને બાળ આરોગ્ય, વડીલોની સંભાળ, આયુર્વેદ, એલોપેથી, માનસિક સ્વાસ્થ્ય, પોષણ, ઋતુચર્ય, નવી સારવાર પદ્ધતિઓ, આરોગ્યલક્ષી સરકારી યોજનાઓ, હોસ્પિટલ અને તબીબી ક્ષેત્રની નવી પહેલો સહિતના વિષયો પર નિષ્ણાતોના લેખો અને માર્ગદર્શન નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવશે.અગ્રણીઓના મંતવ્યોપરેશ ગજેરા (RBA પ્રમુખ)"'સંપત્તિ ટાઈમ્સ'એ જેમ વિશ્વાસનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, તેમ 'હેલ્થ ટાઈમ્સ' પણ આરોગ્ય ક્ષેત્રમાં ડૉક્ટર્સ અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ બની નવી ઓળખ સ્થાપિત કરશે."ડૉ. તેજસ કરમટા (પ્રમુખ, IMA રાજકોટ)"સોશિયલ મીડિયાના યુગમાં વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત આરોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવા માટે 'હેલ્થ ટાઈમ્સ' જેવી પહેલ સમયની જરૂરિયાત છે."ડૉ. બીરજુ મોરી (સેક્રેટરી, IMA રાજકોટ)"નિવારક આરોગ્ય, જનજાગૃતિ અને ડૉક્ટર્સ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવામાં 'હેલ્થ ટાઈમ્સ' અસરકારક માધ્યમ બનશે."ડૉ. એમ.વી. વેકરીયા (પ્રમુખ, Federation of AYUSH Doctors Rajkot)"આયુષ અને આધુનિક ચિકિત્સા સહિત તમામ સારવાર પદ્ધતિઓ અંગે સંતુલિત અને વિશ્વસનીય માહિતી આપવાનો પ્રયાસ પ્રશંસનીય છે."ડૉ. સંજય દેસાઈ (IFS Gujarat State Head)"નિષ્ણાતોના જ્ઞાનને સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ આરોગ્ય જાગૃતિ માટે એક સકારાત્મક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે."ડૉ. પ્રતીક્ષા દેસાઈ (Managing Editor, હેલ્થ ટાઈમ્સ)"'હેલ્થ ઇઝ વેલ્થ'ના વિચારને સાકાર કરતાં હેલ્થ ટાઈમ્સ લોકો સુધી ઓથેન્ટિક, વૈજ્ઞાનિક અને વિશ્વસનીય આરોગ્ય માર્ગદર્શન પહોંચાડશે."પ્રવીણ શીંગાળા (Editor, સંપત્તિ ટાઈમ્સ)"'સંપત્તિ' પછી હવે 'સ્વાસ્થ્ય' ક્ષેત્રમાં પણ વિશ્વાસનું મંચ ઊભું કરવાનો અમારો સંકલ્પ છે, જે સમાજ માટે ઉપયોગી સાબિત થશે."રાજેશ દત્તાણી"હેલ્થ ટાઈમ્સ માત્ર પ્રકાશન નહીં, પરંતુ આરોગ્ય જાગૃતિનું લોકાભિમુખ અભિયાન છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે."
Gujrat મેં એક બિલાડી પાળી છે..., તો હવે રજીસ્ટ્રેશન ફરજિયાત! અમદાવાદ,અમદાવાદમાં બિલાડી પાળતા લોકોને હવે AMCમાં ફરજિયાત કરવું પડશે રજીસ્ટ્રેશનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓના નિયમોને લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હતું, પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરી બિલાડી પાળતા નાગરિકોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે. જો તમે પણ ઘરમાં બિલાડી પાળી રહ્યા હોવ, તો હવે તમારે નિયમોનું પાલન કરવું પડશે, અન્યથા દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.AMCના આ નવા નિર્ણય મુજબ, શહેરના જે લોકો ઘરે બિલાડી પાળે છે, તેમણે હવે ફરજિયાતપણે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કોર્પોરેશન દ્વારા પાલતુ પ્રાણીઓ પર દેખરેખ રાખવા અને તેની વસ્તી તેમજ રસીકરણ અંગેની માહિતી મેળવવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. જે નાગરિકો આ નિયમનું પાલન નહીં કરે, તેમને તંત્ર દ્વારા કરવામાં આવતી ચેકિંગની કાર્યવાહી દરમિયાન દંડ ભરવો પડી શકે છે.અગાઉ AMC માત્ર પાલતુ કૂતરાઓના રજીસ્ટ્રેશન માટે આગ્રહ રાખતું હતું, પરંતુ વધતા જતા પાલતુ બિલાડીઓના પ્રમાણને ધ્યાનમાં રાખીને તંત્રએ હવે આ મર્યાદા વધારી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં પાલતુ પ્રાણીઓની સંખ્યાનું સચોટ ડેટાબેઝ તૈયાર કરવાનો અને જાહેર આરોગ્યને લગતી જવાબદારીઓ સુનિશ્ચિત કરવાનો છે. બિલાડી પાળતા માલિકોને વહેલી તકે AMCની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે.
India પી.એમ. મોદીના આગમન પૂર્વે 57 ટકા નિકાસને ટેરિફ મુક્તિની ન્યૂઝીલેન્ડની જાહેરાત નવી દિલ્હી,પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર હેઠળ નિકાસને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં હવે ન્યુઝીલેન્ડની મુલાકાત પર વિશ્વભરની નજર છે. પીએમ મોદી ન્યુઝીલેન્ડ પહોંચે તે પહેલા જ ત્યાંના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જતી એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ નિર્ણય બંને રાષ્ટ્રો વચ્ચેની ગાઢ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા તરફનું એક મક્કમ પગલું માનવામાં આવે છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મહત્વની માહિતી શેર કરતા પીએમ ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું કે, ભારત સાથેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અમલમાં આવતાની સાથે જ ન્યુઝીલેન્ડની ૫૭ ટકા નિકાસને આયાત શુલ્ક (ટેરિફ) માંથી મુક્તિ આપવામાં આવશે. આ પગલાથી ન્યુઝીલેન્ડના વ્યવસાયો માટે ભારતીય બજારમાં નવી તકોના દરવાજા ખુલશે. કરારના પ્રથમ દિવસથી જ અડધાથી વધુ નિકાસ થતી પ્રોડક્ટ્સ ટેરિફ-મુક્ત થવાથી નિકાસકારોનો ખર્ચ ઘટશે, જેના પરિણામે ન્યુઝીલેન્ડના ઉત્પાદનો ભારત જેવા વિશાળ બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે.વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન વેપાર, ઉર્જા અને રણનીતિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પીએમ લક્સનની આ જાહેરાત સ્પષ્ટ કરે છે કે ન્યુઝીલેન્ડ ભારત સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ મુક્ત વેપાર કરાર બંને દેશોના વેપારી સમુદાય માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને લાંબા ગાળે આર્થિક સંબંધોને વધુ ગતિશીલ બનાવશે. પીએમ મોદીના આગમન પૂર્વે લેવાયેલ આ નિર્ણયે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યું છે.
India અમેરિકામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કોગ્નિઝન્ટ સહિતની IT કંપનીઓ રડારમાં નવી દિલ્હી,ઉપપ્રમુખ જે.ડી. વેન્સની ટાસ્ક ફોર્સ દ્વારા કડક તપાસ અમેરિકામાં H-1B અને PERM વર્ક વિઝાના દુરુપયોગ અને કથિત છેતરપિંડી સામે અમેરિકાની સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કડક કાર્યવાહી હેઠળ ભારતની દિગ્ગજ આઈટી કંપની 'કોગ્નિઝન્ટ' (Cognizant) સહિત અનેક મોટી કંપનીઓ અમેરિકી એજન્સીઓના રડારમાં આવી ગઈ છે, જેના કારણે આ ક્ષેત્રમાં ફફડાટ ફેલાયો છે.વિઝા સાથે જોડાયેલા આ ગોરખધંધા અને ગેરરીતિઓને નાથવા માટે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સની આગેવાની હેઠળ એક ખાસ 'ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેટ ફ્રોડ' (Task Force to Eliminate Fraud) બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ અત્યંત સક્રિય રીતે વિઝા પ્રક્રિયામાં થઈ રહેલી અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. અમેરિકી શ્રમ વિભાગના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તપાસનો હેતુ વિઝા સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો અને નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ પર લગામ લગાવવાનો છે.અમેરિકી શ્રમ વિભાગની 'ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ' દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અહેવાલો અનુસાર, કેટલીક કંપનીઓ અને લેબર બ્રોકર્સે ભેગા મળીને વિઝા મેળવવા માટે નકલી અરજીઓ કરી હતી. આ કૌભાંડમાં મુખ્યત્વે વિઝા મેળવવા માટે કંપનીઓ દ્વારા ખોટા દસ્તાવેજો અને બનાવટી અરજીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. વિદેશી કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી તેમનું શોષણ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં જણાયું છે. વિદેશી કર્મચારીઓના ગેરકાયદેસર ઉપયોગને કારણે અમેરિકી નાગરિકોની નોકરીઓ છીનવાઈ હોવાના ગંભીર આરોપો પણ તપાસમાં સામે આવ્યા છે. આગામી સમયમાં આ તપાસ કેટલા મોટા વળાંક લે છે, તેના પર સમગ્ર ભારતીય IT જગતની નજર ટકેલી છે.
India ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ કેમ્પસ ખોલશે નવી દિલ્હી,વડાપ્રધાન મોદીના મેલબોર્ન પ્રવાસ દરમિયાન મહત્વના કરારભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય સત્તાવાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં આયોજિત પ્રતિષ્ઠિત CEO ફોરમને સંબોધિત કર્યું હતું. આ સંબોધન દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના આર્થિક અને શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મુલાકાત ભારત અને ખાસ કરીને ગુજરાત માટે આર્થિક વિકાસના નવા દ્વાર ખોલનારી સાબિત થઈ રહી છે.આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે થનારા બદલાવ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝની જાહેરાત અનુસાર, ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ હવે ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરશે. આ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું શિક્ષણ તેમના ઘર આંગણે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, આગામી ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનું એક ઉચ્ચસ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવનાર છે, જે રોકાણની નવી તકો ચકાસશે.વડાપ્રધાન મોદીએ CEO ફોરમને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2022માં થયેલા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) બાદ બંને દેશોના આર્થિક સંબંધોમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. આ કરારને લીધે ભારતની ઓસ્ટ્રેલિયામાં નિકાસ બમણી થઈ ગઈ છે. છેલ્લા ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 4 અબજ ડોલરથી વધીને 8.5 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, વૈશ્વિક અસ્થિરતા અને સપ્લાય ચેનની જટિલતાઓ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે સાથે મળીને આગળ વધવું અત્યંત જરૂરી છે.આ પ્રવાસ દરમિયાન ક્લીન એનર્જી અને 100 ગીગાવાટ ન્યુક્લિયર પાવરનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અંગે પણ બંને દેશો વચ્ચે ચર્ચાઓ થઈ હતી, જે ભવિષ્યમાં ઊર્જા ક્ષેત્રે મોટા રોકાણ અને સહયોગના સંકેતો આપે છે.
Surat ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા: એક સપ્તાહ સુધી વરસાદ નહી આવે અમદાવાદ,ગુજરાતમાં 425 રસ્તાઓ બંધ: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં 200 કરોડનો વેપાર ઠપગુજરાતભરમાં છેલ્લા એક અઠવાડિયાથી બઘડાટી બોલાવતા મેઘરાજાએ વિરામ લેતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ થંભી ગયો છે. રાજ્યમાં એક તરફ માત્ર ૫ ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે બીજી તરફ જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક જણાઈ રહી છે. રાજ્યના કુલ ૧૦૯ ડેમ એવા છે જેમાં જળસંગ્રહ ૨૫ ટકાથી પણ ઓછો નોંધાયો છે, જે આગામી સમય માટે પાણીની અછતની ચેતવણી સમાન છે.વરસાદના લાંબા વિરામને કારણે જળાશયોમાં પાણીની આવક ઘટી ગઈ છે. લાંબા સમયથી વરસાદ ન વરસવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે પાકને પિયત માટે પાણીની જરૂરિયાત વધી રહી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય, તો સિંચાઈના પાણીની સમસ્યા વિકટ બની શકે તેમ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અત્યારે રાજ્યમાં વરસાદનું જોર ઓછું છે, જેના કારણે જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો નથી.તંત્ર દ્વારા જળાશયોમાં રહેલા પાણીના જથ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીનું સંતુલન જાળવી શકાય.ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે થયેલી વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ મૃત્યુમાં મુખ્યત્વે ડૂબી જવાની ઘટનાઓ અને વીજ કરંટ લાગવાની દુર્ઘટનાઓનો સમાવેશ થાય છે. ડિંડોલી, પુણાગામ, પાંડેસરા અને રાંદેર જેવા વિસ્તારોમાં આ દુર્ઘટનાઓ નોંધાઈ છે.વરસાદના કારણે સુરતનું ટેક્સટાઈલ માર્કેટ પણ પ્રભાવિત થયું છે. શહેરની આશરે 240 જેટલી ટેક્સટાઈલ માર્કેટો વરસાદી પાણી ભરાવાને કારણે બંધ રાખવાની ફરજ પડી હતી, જેને પગલે એક જ દિવસમાં અંદાજે 200 કરોડ રૂપિયાનો વેપાર ઠપ થઈ ગયો હોવાનો અંદાજ છે.
Gujrat ત્રણ નવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં વરસી મેઘાવી આફત અનરાધાર અમદાવાદ,રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું રાજ્યમાં ચોમાસાએ પોતાનો આક્રમક મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં મેઘરાજાની ભારે બેટિંગને પગલે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, હાલ રાજ્ય પર એકસાથે ત્રણ મહત્વની સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોવા મળશે.સુરતમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત : સુરત-વલસાડમા આજે શાળા-કોલેજોમાં રજા જાહેરહવામાન નિષ્ણાતોના મતે, ગુજરાત પર ‘વેલ માર્ક લો પ્રેશર’, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ અને ત્રણ જેટલા ‘ટ્રફ’ એકસાથે સક્રિય થયા છે. આ ત્રણેય સિસ્ટમની સંયુક્ત અસરને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના પરિણામે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થવાની પ્રબળ શક્યતાઓ છે.સુરત શહેરમાં માત્ર 6 કલાકના ટૂંકા ગાળામાં 10 ઇંચ અને 24 કલાકમાં 18 ઇંચ જેટલો જંગી વરસાદ નોંધાતા શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. સુરત અને વલસાડ જિલ્લાના તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આજે, 8 જુલાઈના રોજ તમામ શાળા, કોલેજો, આઈ.ટી.આઈ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે કોટમદાર ગામે આવેલી ખાડીમાં પૂર આવતા લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ વિસ્તારમાં કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય પર એકસાથે પાંચ જેટલી શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને કરંટને ધ્યાનમાં રાખી તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.બીજી તરફ, સતત વરસી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે, જેને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે.પલસાણામાં સૌથી વધુ 18 અને કામરેજમાં 16 ઇંચ વરસાદપલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ અને કામરેજમાં 16 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ 13 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. નવસારી અને વલસાડ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગંભીર છે, જ્યાં અનેક તાલુકાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.અત્યાર સુધીમાં કુલ 3400 નાગરિકોનું રેસ્ક્યુ: સુરતમાં બેના મોતઅત્યાર સુધીમાં કુલ 3400 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના 11 જળાશયોને હાલ 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે. દરમિયાન, દુર્ભાગ્યવશ સુરતમાં વીજ કરંટ લાગવાને કારણે 2 વ્યક્તિઓના મોતની ઘટના પણ સામે આવી છે.દક્ષિણ ગુજરાતમાં પૂરના પાણીમાં 9ના મોતદક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ મન મૂકીને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી ભરાઈ જવાથી દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે મુખ્ય માર્ગો પર લોખંડની ગડરો અને વાહનો પાણીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા છે.છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદસુરતના પલસાણામાં સૌથી વધુ 18.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજમાં 17.5 ઈંચ, નવસારીમાં 15.5 ઈંચ અને સુરત શહેરમાં 14.5 ઈંચ વરસાદ ખાબકતા ડાયમંડ સિટી સુરત બેટમાં ફેરવાઈ ગયું છે. ખાસ કરીને ઉધના, લિંબાયત અને સચિન જેવા વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મીઠીખાડી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી 4 ફૂટ સુધી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. ઇતિહાસમાં પ્રથમવાર મીઠીખાડી બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.ખાડીઓ ઓવરફ્લો થતા પોશ વિસ્તારોમાં પણ પાણીનો ભરાવોશહેરમાંથી પસાર થતી પાંચ મુખ્ય ખાડીઓમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ જળસંકટને કારણે માત્ર સ્લમ વિસ્તાર જ નહીં, પરંતુ શહેરના પોશ વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સુરતનું પ્રખ્યાત કાપડ માર્કેટ પણ બંધ રાખવાની ફરજ પડી છે. માર્કેટ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને વાહનવ્યવહાર ખોરવાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
Rajkot બે સ્પેશિયલ કોરિડોર દ્વારા ભીડ નિયંત્રણનું આયોજન, રાજકોટ લોકમેળાના મેદાનના નકશાને આખરી ઓપ રાજકોટ, આગામી દિવસોમાં સ્ટોલ વિતરણની પ્રક્રિયા શરૂ થશેરાજકોટના આંગણે યોજાનાર લોકમેળાને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મેળાના આયોજનને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે મેદાનના નકશાને આજે સાંજ સુધીમાં આખરી ઓપ આપી દેવામાં આવશે. આ સાથે જ, મેળામાં ભાગ લેવા ઈચ્છુક વેપારીઓ માટે સ્ટોલના ફોર્મનું વિતરણ આગામી તારીખ ૨૦ ઓગસ્ટની આસપાસ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.મેળાના ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અંગે મળતી માહિતી મુજબ, મુલાકાતીઓની ભીડને ધ્યાનમાં રાખીને બે ખાસ કોરિડોર બનાવવામાં આવશે. જેમાં એક કોરિડોર મુખ્ય ગેટ તરફ અને બીજો કોરિડોર જૂના એરપોર્ટ તરફ જવાના રસ્તા સામેના ગેટ બાજુ તૈયાર કરવામાં આવશે, જેથી અવરજવર સરળ બને.સ્ટોલ ભાડાના દર અને ફોર્મ વિતરણ અંગે ટૂંક સમયમાં નિર્ણયવધુમાં, સ્ટોલના ભાડા અને તેની ફાળવણીની પ્રક્રિયા અંગે વહીવટીતંત્ર દ્વારા અત્યારે ગંભીર મથામણ કરવામાં આવી રહી છે. સ્ટોલના ભાડાના દરો નક્કી કરવા માટે આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. મેળામાં સ્ટોલ મેળવવા ઈચ્છતા વેપારીઓએ હવે ફોર્મ વિતરણની તારીખ અને નિયમોના સત્તાવાર જાહેરનામાની રાહ જોવી પડશે. તંત્ર દ્વારા મેળાને વધુ આકર્ષક અને વ્યવસ્થિત બનાવવા માટે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી નાગરિકો આનંદ અને સલામતી સાથે મેળાનો માણી શકે.
Rajkot જંગલેશ્વરમાં પાણીના નિકાલની સમસ્યા હલ થતાં સ્થાનિકોને મોટી રાહત રાજકોટ,જંગલેશ્વર વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ અને પાણી નિકાલની કામગીરી પૂર્ણરાજકોટ શહેરના વોર્ડ નં. ૧૬માં સમાવિષ્ટ જંગલેશ્વર વિસ્તારમાં લાંબા સમયથી વણઉકેલ્યો રહેલો પાણીના નિકાલનો પ્રશ્ન હવે ભૂતકાળ બની ગયો છે. આ વિસ્તારમાં વરસાદી પાણી તેમજ ગંદા પાણીના ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, પરંતુ હવે આ કામગીરી પૂર્ણ થતાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટરોની રજૂઆત બાદ કામગીરીને મળી ગતિસ્થાનિક રહીશોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. ૧૬ના કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેટરોના આ પ્રયત્નોને કારણે વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની નવી પાઈપલાઈન અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.વહીવટી તંત્રના સહયોગ અને જનપ્રતિનિધિઓની સક્રિયતાને લીધે જંગલેશ્વર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ આવતા લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. આગામી ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોને પાણી ભરાવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે, તેમ કોર્પોરેટરોએ જણાવ્યું હતું.
Rajkot અદમ્ય સાહસનો ઇતિહાસ આલેખતી 70 વર્ષની "પેન"ગાથા, રાજકોટમાં પેનનો "વિકાસ" અને "વિકાસ"ની પેન રાજકોટ,1956માં આલેખાયેલું વિશ્વાસનું વાક્ય આજે સૌરાષ્ટ્રની સૌથી વિશ્વસનીય પર્સનોલાઇઝ પેન બ્રાન્ડનો આલેખ બની ગયુંવ્યવસાય માત્ર માલ વેચવાનું નામ નથી. વ્યવસાય એટલે વિશ્વાસ, સંબંધો અને પેઢીઓ સુધી જળવાઈ રહે તેવી પ્રતિષ્ઠા. વિકાસ પબ્લિસિટી ગ્રુપ ના Vikas Pen World ની સફર આ વાતનું જીવંત ઉદાહરણ છે. આ સફરની શરૂઆત વર્ષ 1956માં સ્વ. ઇન્દુભાઈ ગોરધનદાસ મહેતા દ્વારા રાજકોટના ધર્મેન્દ્ર રોડ પરથી થઈ. તે સમયના મર્યાદિત સાધનો વચ્ચે તેમણે પેનના વ્યવસાયનો પાયો નાખ્યો અને ગુણવત્તા તથા પ્રામાણિકતાના સિદ્ધાંતો પર વ્યવસાય આગળ વધાર્યો.થોડા જ વર્ષોમાં તેમના મોટા પુત્ર મહેન્દ્રભાઈ ઇન્દુભાઇ મહેતા માત્ર 11 વર્ષની ઉંમરે પિતાના ખભે ખભો મિલાવી વ્યવસાયમાં જોડાયા. તેઓ વિવિધ દુકાનોમાં ફરીને ₹1માં 5 પેન વેચતા અને ગ્રાહકોનો વિશ્વાસ જીતતા. આ જ મહેનતના પરિણામે ધર્મેન્દ્ર રોડ પર પોતાની દુકાન ખરીદવામાં આવી અને "Modern Pen Centre" તરીકે નવી ઓળખ મળી. પરિવારના અન્ય બે સભ્યો હરેશભાઈ મહેતા અને સંજયભાઈ મહેતા પણ વ્યવસાય સાથે જોડાયા. ત્રણેય ભાઈઓએ મળીને ઇન્ક પેન અને કોર્પોરેટ ગિફ્ટિંગ પેનના ક્ષેત્રમાં વિશેષ ઓળખ ઉભી કરી.વર્ષ 1984માં મહેન્દ્રભાઈ મહેતાએ જાહેરાત ક્ષેત્રે Vikas Publicityની સ્થાપના કરી, જ્યારે હરેશભાઈ મહેતાએ મુંબઈમાં Him Enterprise શરૂ કરી. બીજી તરફ સંજયભાઈ મહેતાએ પેનના વ્યવસાયને સંપૂર્ણ સમર્પણ સાથે આગળ વધાર્યો.2017 મહેતા પરિવાર માટે જીવનની સૌથી કઠિન કસોટી લઈને આવ્યું. સંજયભાઈ મહેતાને છેલ્લા સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું. કંપની પાસે અંદાજે ₹25 લાખનો સ્ટોક હતો, લેણદારોના બાકી નાણાં હતાં અને વ્યવસાયનું ભવિષ્ય અનિશ્ચિત લાગતું હતું. ઘણા લોકો માટે આ અંત હોત, પરંતુ મહેતા પરિવાર માટે આ નવી શરૂઆત હતી. મહેન્દ્રભાઈ મહેતાના નેતૃત્વમાં ત્રીજી પેઢીના રીશીત મહેતા અને શ્રેયાંસ મહેતાએ જવાબદારી પોતાના ખભે લીધી. તમામ લેણદારોના દેવા ચૂકવ્યા, વ્યવસાયને નવી દિશા આપી અને નવા વિઝન સાથે "Vikas Pen World" તરીકે નવી ઓળખ આપી."દરેક પેન માત્ર એક પ્રોડક્ટ નથી... પરંતુ લાગણી, સંબંધ અને યાદગાર પળોને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે." આ જ વિચાર સાથે Vikas Pen World આજે પણ ગુણવત્તા, વિશ્વાસ અને તાત્કાલિક સેવાને પોતાનું સૌથી મોટું મૂલ્ય માને છે અને આગામી પેઢીઓ સુધી આ પરંપરાને આગળ વધારવાનો સંકલ્પ ધરાવે છે.સૌરાષ્ટ્રમાં Personalized Metal Pens માટે બની પ્રથમ પસંદગીઆજે Vikas Pen World માત્ર પેન વેચતું શોરૂમ નથી, પરંતુ Personalized Gifting Solutions માટે વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. ₹50થી શરૂ થતી પ્રીમિયમ મેટલ પેન, એક જ પીસથી લઈને હજારો પીસ સુધી, દરેક ગ્રાહકની જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરવામાં આવે છે.વ્યક્તિગત નામ, કંપનીનો લોગો અથવા ખાસ સંદેશ સાથે પેન પર Laser Engraving દ્વારા મિનિટોમાં જ પર્સનલાઇઝેશન કરવાની સુવિધા આજે Vikas Pen Worldની સૌથી મોટી વિશેષતા છે. વ્યક્તિગત ગિફ્ટ, કોર્પોરેટ ગિફ્ટિંગ, સરકારી વિભાગો, બેન્કો, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો અને વિવિધ સંસ્થાઓ માટે Vikas Pen World આજે સૌરાષ્ટ્રનું વિશ્વાસપાત્ર નામ છે.દર વર્ષે 1 લાખથી વધુ પેનનું વેચાણ કંપનીની સતત વધી રહેલી લોકપ્રિયતાનો પુરાવોસાત દાયકાથી વધુ સમયથી હજારો પરિવારો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ સાથે Vikas પરિવારનો સંબંધ માત્ર વ્યવસાય સુધી મર્યાદિત નથી રહ્યો. આજે પણ અનેક ગ્રાહકો ત્રીજી પેઢી સુધી Vikas Pen World સાથે જોડાયેલા છે, જે કંપની માટે સૌથી મોટું સન્માન છે.… જ્યારે પીએમ મોદી માટે ખાસ પેન બનાવી...!વર્ષ 2026માં Vikas Pen World માટે ઐતિહાસિક ક્ષણ આવી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની વિશેષ પર્સનલાઇઝ્ડ મેટલ પેન Vikas Pen Worldમાં તૈયાર કરવામાં આવી. આ પેન એક ગ્રાહક દ્વારા પ્રધાનમંત્રીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી અને તેમણે તે સૌજન્યપૂર્વક સ્વીકારી હતી. Vikas પરિવાર માટે આ ક્ષણ વર્ષોની મહેનત, ગુણવત્તા અને વિશ્વાસને મળેલું ગૌરવપૂર્ણ સન્માન બની રહી. તે જ વર્ષમાં Vikas Pen Worldને દિવ્ય ભાસ્કર ગ્રુપના MY FM દ્વારા "Most Trusted Personalized Pen Store of Saurashtra" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. આ એવોર્ડ ગ્રાહકોના અતૂટ વિશ્વાસ, ઉત્તમ સેવા અને નવીનતાની કદરરૂપે એનાયત કરવામાં આવ્યો હતો.
World વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ નવી દિલ્હી ,બચાવ કામગીરી પુરજોશમાં: કાટમાળ નીચે ફસાયેલા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશનમાં અનેક અવરોધોવેનેઝુએલામાં કુદરતી આફતે ભારે કાળો કેર વર્તાવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, દેશમાં ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આ વિનાશક ભૂકંપના પગલે અત્યાર સુધીમાં ૨૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧,૫૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. હજુ પણ 200થી વધુ લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે, જેમને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ૩૯,૦૦૦થી વધુ લોકો ગુમ હોવાનું નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને જોતા અનેક આંતરરાષ્ટ્રીય દેશોએ વેનેઝુએલાને માનવીય સહાય મોકલવાની તૈયારીઓ શરૂ કરી છે. હાલમાં બચાવ ટુકડીઓ કાટમાળમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે સતત કામ કરી રહી છે.બુધવાર સાંજે 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપમાં અત્યારસુધી 235 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 1,500 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 200થી વધારે લોકો કાટમાળ નીચે ફસાયા છે. 39 હજારથી વધારે લોકો ગુમ હોવાની આશંકા છે. આ છેલ્લા 126 વર્ષમાં વેનેઝુએલામાં સૌથી મોટો ભૂકંપમાંથી એક છે. જેના ઝટકા બ્રાઝીલના એમેઝોન વિસ્તારસુધી મહેસસ થયા હતા.ગુરુવાર સવારથી લોકો પોતાના ગુમ થયેલા પરિવારના લોકોને શોધવા માટે કાટમાળ દુર કરતા જોવા મળ્યા હતા. બચાવ દળ પણ સતત કાર્ય કરી રહ્યું છે. અનેક ઇજાગ્રસ્તો ધૂળ અને લોહીથી લથપથ હાલતમાં કાટમાળમાંથી બહાર નીકાળવામાં આવ્યા છે. જેમાં બાળકો અને પાલતું જાનવર પણ સામેલ છે. સરકારી ટીવીએ એક મહિલાનું રેસ્ક્યૂ પણ દેખાડ્યું હતું. જે સીમેન્ટના સ્લેબ નીચે ફસાયા હતા. પરંતુ રાજધાની કરકસની બહાર અનેક વિસ્તારમાં સરકારીસૌથી વધારે નુકસાન લા ગુએરા તટીય વિસ્તારમાં થયું છે. અહીં અનેક ઇમારતો નાશ પામી છે. દેશના મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આ વિસ્તારમાં છે. જેને નુકસાન પહોંચ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેનાથી રાહત સામગ્રી પહોંચાડવી મુશ્કેલ થઈ રહી છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે લા ગુએરાને આપત્તિજનક વિસ્તાર જાહેર કર્યો છે.ભૂકંપ પછી અનેક વિસ્તારમાં વીજળી, મોબાઈલ નેટવર્ક, મેટ્રો સેવા અને ગેસ સપ્લાય બંધ કરવામાં આવી છે. શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. સલામત સ્થળોથી રાહત શિબિર અને સહાયતા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ગુમ થયેલા પરિવારના ફોટાના પોસ્ટર લગાવી રહ્યા છે અને વિદેશમાં રહેતા વેનેઝુએલાના લોકો પણ પોતાના પરિવારના સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
Gandhinagar ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ ગાંધીનગર,દેડિયાપાડાના ધારાસભ્ય સામેની સજાના ઓર્ડર બાદ હવે વિધાનસભા સચિવાલય હરકતમાં, સભ્યપદ રદ થવાની અટકળો તેજદેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયા છે. રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ હવે ગુજરાત વિધાનસભા સચિવાલયમાં હિલચાલ તેજ બની છે. કોર્ટનો સત્તાવાર ઓર્ડર વિધાનસભા સુધી પહોંચતા, હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ટકશે કે જશે, તે બાબતે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.રાજપીપળા સેશન્સ કોર્ટનો ઓર્ડર મળ્યા બાદ વિધાનસભાના લીગલ વિભાગ દ્વારા કાયદાકીય પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે. લીગલ વિભાગ હાલમાં કોર્ટના ચુકાદા અને તેમાં મળેલી સજાના આધારે એક વિસ્તૃત રિપોર્ટ અને દરખાસ્ત તૈયાર કરી રહ્યો છે. આ રિપોર્ટ આગામી દિવસોમાં વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે. સમગ્ર બાબતની કાયદાકીય તપાસ અને સમીક્ષા બાદ અધ્યક્ષ આ મામલે આખરી નિર્ણય લેશે, જેના પર સૌની નજર ટકેલી છે.વર્તમાન કાયદાકીય જોગવાઈઓ મુજબ, જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુની સજા ફટકારવામાં આવે, તો તેમનું ધારાસભ્ય પદ રદ થવાપાત્ર બને છે. આ નિયમને ધ્યાનમાં લેતા, વિધાનસભા સચિવાલય દ્વારા કરવામાં આવી રહેલી પ્રક્રિયા ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો પદ રદ કરવાનો નિર્ણય લેવાય, તો દેડિયાપાડા બેઠક ખાલી જાહેર કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ થશે. હાલમાં આ સમગ્ર પ્રકરણ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.
India ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર નવી દિલ્હી,બેન્ક કે થર્ડ પાર્ટીની ભૂલ પર મળશે સંપૂર્ણ વળતરવર્તમાન સમયમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધવાની સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે. સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી સુરક્ષિત રહે તે હેતુથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. 24 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલી આ નવી માર્ગદર્શિકા મુજબ, હવેથી ડિજિટલ ફ્રોડનો ભોગ બનતા ગ્રાહકોને વળતરની સુવિધા મળશે. 1 જાન્યુઆરી, 2027થી અમલી બનનાર આ નિયમ હેઠળ, ગ્રાહકની ભૂલ હોય તો પણ તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે.નવા નિયમ અનુસાર, જો ફ્રોડ બેન્કની સુરક્ષા ખામી, સિસ્ટમની ખામી કે બેન્ક દ્વારા ગ્રાહકને એલર્ટ ન મળવાને કારણે થયું હશે, તો બેન્ક ગ્રાહકને સંપૂર્ણ રિફંડ ચૂકવવા માટે જવાબદાર રહેશે. તેવી જ રીતે, જો કોઈ પેમેન્ટ એપ, ગેટવે અથવા ટેલિકોમ પ્રોવાઈડર (થર્ડ પાર્ટી)ની ગરબડના કારણે નાણાં ગુમાવવા પડે, તો પણ ગ્રાહકને 'શૂન્ય જવાબદારી' હેઠળ પૂરેપૂરા પૈસા પરત મળશે. આ માટે શરત એટલી છે કે, ગ્રાહકે છેતરપિંડી થયાના 5 કેલેન્ડર દિવસની અંદર સંબંધિત બેન્ક કે સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી આવશ્યક છે.ગ્રાહકની પોતાની બેદરકારી હશે તો પણ મળશે આર્થિક સહાયઆ નવી પોલિસીનો સૌથી મહત્વનો અને ગ્રાહકલક્ષી પાસું એ છે કે, જો ગ્રાહકની પોતાની બેદરકારી (જેમ કે ફિશિંગ લિંક પર ક્લિક કરવું કે OTP શેર કરવો) ના કારણે ફ્રોડ થયું હશે, તો પણ તેમને વળતર મળી શકશે. જોકે, આ માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.આ નિયમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક અને લોકલ એરિયા બેન્કને બાદ કરતાં તમામ કમર્શિયલ બેન્કો પર લાગુ થશે. આ નિર્ણયથી ડિજિટલ પેમેન્ટ કરતા લાખો ભારતીય ગ્રાહકોને મોટી રાહત મળશે અને ઓનલાઈન વ્યવહારોમાં તેમનો વિશ્વાસ વધશે.વળતર માટે શરતો લાગુ* વળતરની મર્યાદા: ગ્રાહકને વધુમાં વધુ રૂ. 25,000 અથવા નુકસાનના 85% (જે ઓછું હોય તે) વળતર મળશે.* જીવનમાં એક જ વાર:આ પ્રકારનું વળતર વ્યક્તિ તેના આખા જીવનમાં માત્ર એક જ વાર મેળવી શકશે.* વળતરની વહેંચણી: આ વળતરની રકમમાં RBI 65%, ગ્રાહકની બેન્ક 10% અને લાભાર્થીની બેન્ક 10% હિસ્સો ભોગવશે.કયા ટ્રાન્ઝેક્શન પર વળતર અને ક્યારથી નિયમ લાગુ?આ નવો નિયમ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક અને લોકલ એરિયા બેન્કને બાદ કરતાં તમામ કમર્શિયલ બેન્ક પર લાગુ થશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2027 કે તેના પછી થનારા તમામ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે લાગુ થઈ જશે. આમાં આજના સમયના તમામ ડિજિટલ પેમેન્ટ મોડ જેવા કે, UPI ટ્રાન્સફર, નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ (પછી ભલે તે કાર્ડ સ્વાઇપ/ટેપ કરીને કરાયું હોય કે ઓનલાઇન ડિટેલ્સ નાખીને) વગેરે તમામ પ્રકારના ડિજિટલ વ્યવહારોને આવરી લેવામાં આવ્યા છે.
Rajkot રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ રાજકોટ,સ્વાસ્થ્ય સાથે ખિલવાડ ક્યારે બંધ થશે?રાજકોટમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત પનીરના વેચાણ સામે તંત્ર લાલઘૂમ થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આક્રમક કાર્યવાહીથી શહેરના ભેળસેળખોર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બજારમાં વેચાતા પનીરના નમૂનાઓની તપાસ કરતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. ફૂડ વિભાગના અધિકારીઓને સ્થળ પરથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ અને અખાદ્ય પનીર મળી આવ્યું હતું. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને કુલ ૬૩૬ કિલો અખાદ્ય પનીરના જથ્થાને જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો, જેથી તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરે.જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહેલા વેપારીઓ સામે કડક પગલાં લેતા ફૂડ વિભાગે નિયમોનું ઉલ્લંઘન કરનાર શહેરની ત્રણ ખાદ્ય પેઢીઓને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પનીરના નમૂનાઓમાં ભેળસેળ સાબિત થતાં અને સ્થળ પર સ્વચ્છતાના અભાવે આ કાર્યવાહી કરવામાં આવી છે. મનપાના આ સપાટાથી શહેરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તંત્રે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ અવિરત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ત્રણ પેઢી સીલ કરાઈ1) Fortune મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ લાતી પ્લોટ શેરી નંબર 4 ,-પનીર લુઝ સેમ્પલ-5000 દંડ2) શ્રીરામ ડેરી સોમનાથ 3, શેરી નંબર 1, 150 ફૂટ રીંગ રોડ-મલાઈ સેમ્પલ -પનીર સેમ્પલ -5 000દંડ -500 kg ફૂગ વાળી મલાઈ નાશ3) શ્યામ ડેરી પ્રોડક્ટ વિવેકાનંદ નગર શેરી નંબર 9, કોઠારીયા મેઇન રોડ -5000 દંડ -પનીર એનેલોગ સેમ્પલકુલ ચાર ફોર્મલ સેમ્પલ તથા *અંદાજિત કિંમત ₹1,75,000 ની સંગ્રહ કરેલ ફૂગ વાળી 500 કિલોગ્રામ મલાઈ (લુઝ)SWM વાહનમા નાશ કરીત્રણેય પેઢીમાં કુલ મળી ₹15,000/= નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
India ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહીં, ગરમી અને બફારાથી લોકો હેરાન અમદાવાદ,છૂટાછવાયા સ્થળોએ માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના: વરસાદની ગતિ મંદ પડતા અસહ્ય ઉકળાટ યથાવતચોમાસુ સક્રિય હોવા છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ચોમાસાની ઋતુ હોવા છતાં વરસાદ ખેંચાતા અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો ભારે ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. તાપમાનમાં થયેલા વધારાને પગલે બપોરના સમયે પ્રજાજનો ભારે અકળામણ અનુભવી રહ્યા છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. જોકે, રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ભેજને કારણે માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે. હાલ પૂરતું ખેતીલાયક વરસાદ કે ભારે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી વાતાવરણમાં ડ્રાય સ્પેલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.સાઇક્લોનિક સર્ક્યુલેશન પંજાબ તરફ વળ્યું, માછીમારોને કોઈ ચેતવણી નહીંહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં સેન્ટ્રલ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર રહેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન થોડું પંજાબ તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે મધ્ય પ્રદેશથી અરબી સમુદ્ર સુધીની ટ્રફ લાઈન હવે નીચે તરફ ખસીને મહારાષ્ટ્રની ઉપર સક્રિય છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને તેની આસપાસ સૌરાષ્ટ્ર પર 3.1 કિ.મી.થી 5.8 કિ.મી.ની ઊંચાઈ વચ્ચે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેમજ એક મોસમી ટ્રફ રાજસ્થાનથી ઓડિશા સુધી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ થઈને પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રેશર ગ્રેડિયન્ટ બનેલું હોવાના કારણે 15થી 20 નોટ્સ અને ક્યારેક ઝાપટા સાથે 25 નોટ્સની ગતિએ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ શકે છે, પરંતુ માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી.
ત્રણ નવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં વરસી મેઘાવી આફત અનરાધાર 08 Jul 2026
બે સ્પેશિયલ કોરિડોર દ્વારા ભીડ નિયંત્રણનું આયોજન, રાજકોટ લોકમેળાના મેદાનના નકશાને આખરી ઓપ 08 Jul 2026
અદમ્ય સાહસનો ઇતિહાસ આલેખતી 70 વર્ષની "પેન"ગાથા, રાજકોટમાં પેનનો "વિકાસ" અને "વિકાસ"ની પેન 08 Jul 2026
બે સ્પેશિયલ કોરિડોર દ્વારા ભીડ નિયંત્રણનું આયોજન, રાજકોટ લોકમેળાના મેદાનના નકશાને આખરી ઓપ 2 weeks ago
રાજકોટમાં જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ પ્લોટ ભાડે આપશે રાજકોટ, નાનામૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ અને અમીન માર્ગ કોર્નર પરના પ્લોટ કરાશે ફાળવવામાંશહેરમાં આગામી જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ નિમિત્તે શહેરીજનો મનોરંજન માણી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી મેળાના આયોજન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરના ત્રણ મહત્વના અને વ્યસ્ત વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટ મેળાના હેતુ માટે ભાડે આપવામાં આવશે.મળતી માહિતી મુજબ, મનપા દ્વારા નાનામૌવા સર્કલ પાસે, સાધુવાસવાણી રોડ પર તેમજ અમીન માર્ગ કોર્નર પર આવેલા પ્લોટ મેળાના આયોજન માટે ફાળવવામાં આવશે. આ ત્રણેય સ્થળોએ મેળો યોજવાથી નાગરિકો સરળતાથી પહોંચી શકશે અને તહેવારની ઉજવણીનો આનંદ માણી શકશે. આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી મેળાના આયોજન માટે તંત્ર દ્વારા કવાયત શરૂઆ મેળાના આયોજન માટે મનપાના સબંધિત વિભાગ દ્વારા પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં જ આ ત્રણેય પ્લોટ ભાડે આપવા માટે સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા પ્રસિદ્ધ કરવામાં આવશે, ત્યારબાદ નિયમોનુસાર યોગ્ય આયોજકને પ્લોટની ફાળવણી કરવામાં આવશે. તંત્રની આ કવાયતથી જન્માષ્ટમીના પર્વ પર શહેરમાં મેળાઓ જામશે અને વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે. Read More
શ્રીકાંત શિંદેને કેબિનેટમાં સ્થાન મળવાની અટકળો તેજ નવી દિલ્હીદિલ્હી તાબડતોબ પહોંચેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠકનો દૌરકેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત મોટા ફેરફારો અને વિસ્તરણની ચર્ચાઓએ દેશના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આગામી શિક્ષણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની ધુરા હવે કોણ સંભાળશે અને દેશના નવા શિક્ષણ મંત્રી કોણ બનશે?શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ચર્ચાઓ પાછળ ભાજપ હાઈકમાન્ડની રણનીતિ હોવાનું મનાઈ રહ્યું છે. પાર્ટી તેમને સંગઠનમાં કોઈ મોટી અને મહત્ત્વની રાષ્ટ્રીય જવાબદારી સોંપવાના મૂડમાં હોવાની ચર્ચા છે.કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણના સંકેતો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અચાનક દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે હાઈ-લેવલ બેઠક યોજી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાંથી કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ વધારવા અને આગામી રાજકીય સમીકરણો તથા સંગઠનાત્મક સંતુલન જાળવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ રહી હોવાનું મનાય છે.એકનાથ શિંદેની શિવસેના તરફથી કલ્યાણના સાંસદ અને મુખ્યમંત્રીના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવી પ્રબળ શક્યતા છે. જો શિવસેનાના યુવા ચહેરા એવા શ્રીકાંત શિંદેને કેન્દ્રમાં સ્થાન મળે, તો તેનાથી મહારાષ્ટ્રમાં ગઠબંધન વધુ મજબૂત બનશે અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળશે.આગામી સમયમાં કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠનને વધુ ધારદાર બનાવવાની રણનીતિના ભાગરૂપે આ ફેરફારો અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કેટલાક મંત્રીઓની કામગીરી અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રાલયોની ફેરફાર અને ખાતાવહીમાં મોટા નિર્ણયો જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. Read More
હેડિંગસૌરાષ્ટ્રના ૩૪ ડેમોમાં નવા નીર, ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો: ૫૯ દરવાજા ખોલાયા ભાવનગર,રાજકોટના આજી-2 ઓવર ફલો થતાં 6 દરવાજા ખોલાયાચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી તરસી રહેલી નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ ૩૪ જેટલા ડેમોમાં નવા પાણીની આવક થઈ છે, જેનાથી સમગ્ર પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.મહત્વની અપડેટ મુજબ, ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથક તથા સમગ્ર વિસ્તાર માટે જીવાદોરી સમાન ગણાતો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં બીજી વખત પૂર્ણ સપાટીએ ભરાઈને ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં આવેલા અમરેલી અને ધારી વિસ્તારમાં પડેલા સાર્વત્રિક તથા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક સતત ચાલુ રહી છે.ડેમની જળસપાટી પર નિયંત્રણ મેળવવા અને 'રૂલ લેવલ' જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેના દ્વારા અંદાજે ૯,૪૪૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાજા તાલુકાના ૧૨ અને પાલીતાણા તાલુકાના ૫ સહિત કુલ ૧૭ જેટલા નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ પશુઓને કિનારે ન લઈ જવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.બીજી તરફ, રાજકોટ પંથકમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસતા શહેરનો આજી-2 ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. પાણીની આવક વધતાં આજી-2 ડેમના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે પડધરી તાલુકાના ૧૦ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રભરમાં જળાશયો છલકાવાના આ સમાચારથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને પીવાના તેમજ સિંચાઈના પાણીની ચિંતાઓ દૂર થઈ છે. Read More
ગુજરાતમાં વરસાદી તાંડવ: પૂરથી 56નાં મોત, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ યથાવત ગુજરાતના 255 માંથી 253 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.25 ઈંચ જ્યારે પાટણના રાધનપુરમાં 9.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે એક જ દિવસમાં 30736 સ્થળાંતર જ્યારે 3 હજારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલે 7 જિલ્લામાં રેડ જ્યારે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.ભારે વરસાદના કારણે લોકલ નદીઓ બે કાંઠે થતાં નીચાણવાળા સોસાયટીઓ અને ગામડાંઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના લીધે મોટી જાનહાનિ નોંધાઈ છે. મળતી તાજી સત્તાવાર વિગતો મુજબ, રાજ્યમાં વરસાદી આફત અને પૂરના લીધે અત્યાર સુધીમાં કુલ 56 લોકોના મોત નીપજ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર છેલ્લા ચાર દિવસના ગાળામાં એટલે કે 21 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન જ રાજ્યભરમાં 31 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા 31 મોતમાંથી મોટાભાગની જાનહાનિ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને આસપાસના વિસ્તારોમાં થઈ છે. અહીં પૂર્ણા, કાવેરી, અંબિકા અને ઓરંગા નદીઓમાં આવેલા ઘોડાપૂરમાં અનેક લોકો તણાઈ ગયા હતા, તો કેટલાંક સ્થળોએ વીજળી પડવાથી તથા કાચાં મકાનો-દિવાલો ધરાશાયી થવાથી લોકો કાળનો કોળિયો બન્યા હતા.આ અગાઉ જ્યારે સુરત શહેર અને જિલ્લામાં મુસળધાર વરસાદ સાથે પૂરની ગંભીર કટોકટી સર્જાઈ હતી, ત્યારે જળબંબાકારના કારણે 25 લોકોના અકાળે મોત નીપજ્યા હતા. આમ, અગાઉના 25 અને આ ચાર દિવસમાં નોંધાયેલા 31 મળીને રાજ્યનો કુલ વરસાદી મૃત્યુઆંક 56 પર પહોંચ્યો છે. પૂર પીડિતો માટે કેશડોલ્સ અને મૃતકોના પરિવારજનોને સરકારી નિયમોનુસાર તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.કયા તાલુકામાં વધારે વરસાદ?સાંતલપુર (પાટણ) - 12.25 ઈંચરાધનપુર (પાટણ) - 9.50 ઈંચભાભર (વાવ થરાદ) - 7.15 ઈંચદાંતીવાડા (બનાસકાંઠા) - 7.00 ઈંચદિયોદર (વાવ-થરાદ) - 6.75 ઈંચમહેમદાવાદ (ખેડા) - 6.70 ઈંચથાનગઢ (સુરેન્દ્રનગર) - 6.50 ઈંચવાંકાનેર (મોરબી) - 6.50 ઈંચનડિયાદ (ખેડા) - 5.50 ઈંચધનસુરા (અરવલ્લી) - 4.50 ઈંચખેરાલુ (મહેસાણા) - 4.50 ઈંચહડાદ (બનાસકાંઠા) - 4.50 ઈંચઆગથળા (બનાસકાંઠા) - 4.50 ઈંચદહેગામ (ગાંધીનગર) - 4.25 ઈંચવિરપુર (મહીસાગર) - 4.00 ઈંચપાણીમાં ફસાયેલા હજારો લોકોનું રેસ્ક્યુછેલ્લા 24 કલાકમાં વલસાડમાંથી સૌથી વધુ 14083, નવસારીમાંથી 12367, સુરતમાંથી 2810, અમદાવાદમાંથી 417 લોકો પાણીમાં ફસાયેલા હોવાથી અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. એક દિવસમાં વલસાડમાંથી 2665 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. 1 જૂન 2026 થી 23 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના 40665 વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે જ્યારે 6766નું રેસ્ક્યુ કરાયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધારે પ્રભુત્વ રહ્યું હતું. પાટણના સાંતલપુરમાં 12.25 ઈંચ, પાટણના રાધનપુરમાં 9.50, વાવ-થરાદમાં 7.15 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જનજીવન ખોરંભે, 1200થી વધુ રોડ બંધભારે વરસાદને પગલે હાલ રાજ્યના 1204 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં વલસાડ જિલ્લાના સૌથી વધુ 461 રોડનો સમાવેશ થાય છે. હાલ જે રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે તેમાં 30 સ્ટેટ હાઈવે, 1119 પંચાયત માર્ગ, ચાર નેશનલ હાઈવે, 3 NHAI જ્યારે 48 અન્ય માર્ગનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો નવસારીમાં 248, સુરતમાં 244, તાપીમાં 190, ડાંગમાં 19, સુરેન્દ્રનગરમાં 11, અમદાવાદના 8 હાઈવેનો સમાવેશ થાય છે.વીજળી-પાણી સંકટવરસાદથી 4095 ગામડામાં અંધારપટ છવાયો હતો. આ પૈકી 3762 ગામડામાં વીજપુરવઠો પૂર્વવત થયો છે અને 333માં હજુ અંધારપટ છે. 8207 ફીડર્સ, 7882 પોલ્સ અને 409 ટ્રાન્સફોર્મેશન સેન્ટરને ભારે વરસાદથી નુકસાન થયેલું છે.ડેમ અને જળસ્તરગુજરાતના મોટાભાગના સ્થળે વરસાદને પગલે જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હાલ 10 જળાશયો છલોછલ છે જ્યારે 15 જળાશયો હાઈએલર્ટ હેઠળ છે. ગુજરાતના 207 જળાશયોમાં હાલ સરેરાશ 52.72 ટકા જળસ્તર છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પાંચ જ્યારે સૌરાષ્ટ્રમાંથી પાંચ એમ 10 જળાશયો સંપૂર્ણ 100 ટકા ભરાયા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 39.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 23.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 44.80 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.72 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.63 ટકા જળસ્તર છે. રાજ્યના 24 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 22 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા, 50 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે જ્યારે 100 જળાશયમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 68.33 ટકા જળસ્તર છે.ક્યાં કેવું એલર્ટરેડ એલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર.ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ Read More
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પી.એમ.ને રાજીનામુ મોકલી આપ્યું કોક્રોચ પાર્ટીમાં જશ્નનો માહોલ, અંતે "ધર્મેન્દ્ર" હવે "પ્રધાન" ન રહ્યાનીટ પેપરલીક મામલે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ આખરે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે બપોરે 2 વાગ્યા પછી રાજીનામું આપ્યું છે. છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા.ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં શું લખ્યું?પોતાના અધિકૃત પત્રમાં દેશના યુવાનોને સંબોધતા ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી છાત્રો, શિક્ષકો અને શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્યો છું. દેશના યુવાનોની આકાંક્ષાઓ અને ન્યાયી અપેક્ષાઓનું હું ઊંડું સન્માન કરું છું. 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા જ સરકારે તુરંત તપાસ સીબીઆઈને સોંપી હતી. પરંતુ છેલ્લા 10 દિવસના ઘટનાક્રમથી મારું મન અત્યંત વ્યથિત થયું છે.જંતર-મંતર પર અને દેશમાં જે સ્થિતિ બની છે, તેનો 'રાષ્ટ્ર વિરોધી તાકાતો' લાભ ના ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ના અટવાય અને આપણા બાળકો અભ્યાસ તથા કરિયર પર ધ્યાન આપી શકે, તે માટે મેં મારું ત્યાગપત્ર વડાપ્રધાનને મોકલી આપ્યું છે. પ્રથમ દિવસથી જ મેં આ સમગ્ર મામલે જવાબદારી લીધી હતી અને ક્યારેય આ પરિસ્થિતિથી મોં ફેરવ્યું નથી. મારો એ જ સંકલ્પ હતો કે આપણે પરીક્ષા માફિયાઓને કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા દઈશું નહીં.આંદોલનની ૩ મુખ્ય માંગણીઓ જે સરકારે સ્વીકારીદિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક મહિનાથીnઆક્રોશિત વિદ્યાર્થીઓ કેમ્પિંગ કરી રહ્યા હતા. શુક્રવારે સરકારે વિદ્યાર્થીઓની બે માંગણીઓ સ્વીકારી લીધી હતી, પરંતુ રાજીનામા અંગે મૌન સેવ્યું હતું. શિક્ષણ મંત્રીના રાજીનામા સાથે જ વિદ્યાર્થીઓની તમામ ૩ મુખ્ય માંગણીઓ પૂરી થઈ ગઈ છે જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં. NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર.જંતર-મંતર પર ઉજવણી: અમે કરી બતાવ્યુંશિક્ષણ મંત્રીના રાજીનામાના સમાચાર મળતાં જ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને સમગ્ર વાતાવરણ 'વિદ્યાર્થી એકતા ઝિંદાબાદ' ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. જંતર-મંતરના સ્ટેજ પરથી જાહેરાત કરતાં અભિજીત દીપકે કહ્યું, "લોકો કહેતા હતા કે આ સરકારમાં કોઈ રાજીનામું આપતું નથી. પરંતુ અમે આ કરી બતાવ્યું છે. વિદ્યાર્થી શક્તિનો વિજય થયો છે." CJP ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ "Long Live Student Power" ની પોસ્ટ મૂકવામાં આવી હતી. Read More
સ્વાસ્થ્ય "સંપતિ" સંવર્ધન માટે "હેલ્થ ટાઈમ્સ"નો પ્રારંભ રાજકોટ,અગ્રણી તબીબો, આરોગ્ય સંસ્થાઓની ઉપસ્થિતિમાં પ્રથમ અંકનું વિમોચનછેલ્લા આઠ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વસનીય, તટસ્થ અને સકારાત્મક પત્રકારત્વની ઓળખ ઉભી કરનાર 'સંપત્તિ ટાઈમ્સ' પાક્ષિક દ્વારા હવે સમાજના સર્વાંગી વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાન તરીકે 'હેલ્થ ટાઈમ્સ' સપ્લીમેન્ટરી આવૃત્તિનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું છે. તબીબી જ્ઞાન, વૈજ્ઞાનિક માહિતી અને જનજાગૃતિ વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ રચવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલા આ નવા પ્રકાશનના પ્રથમ અંકનું રાજકોટમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.વિમોચન સમારોહમાં RBA પ્રમુખ પરેશ ગજેરા, IMA રાજકોટ પ્રમુખ ડૉ. તેજસ કરમટા, IMA રાજકોટ સેક્રેટરી ડૉ. બીરજુ મોરી, Federation of AYUSH Doctors Rajkotના પ્રમુખ ડૉ. એમ.વી. વેકરીયા, IFS Gujarat State Head ડૉ. સંજય દેસાઈ, 'હેલ્થ ટાઈમ્સ'ના Managing Editor ડૉ. પ્રતીક્ષા દેસાઈ, 'સંપત્તિ ટાઈમ્સ'ના Editor પ્રવીણ શીંગાળા, રાજેશ દત્તાણી ઉપરાંત પ્રશાંત પંડયા સહિતના મહાનુભાવો, રાજકોટના અગ્રણી તબીબો, વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ હેલ્થ ટાઈમ્સને આરોગ્ય ક્ષેત્રમાં સમયોચિત અને સમાજલક્ષી પહેલ ગણાવી તેને શુભકામનાઓ પાઠવી હતી.ડૉ. સંજય દેસાઈ અને ડૉ. પ્રતીક્ષા દેસાઈના માર્ગદર્શન હેઠળ 'હેલ્થ ટાઈમ્સ'નો પ્રારંભ'સંપત્તિ ટાઈમ્સ'એ અત્યાર સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ, ડેવલપર્સ, પ્રોફેશનલ્સ અને ગ્રાહકો વચ્ચે વિશ્વસનીય માહિતી અને સકારાત્મક સંવાદનું મંચ ઊભું કર્યું છે. એ જ વિશ્વાસને હવે આરોગ્ય ક્ષેત્ર સુધી વિસ્તૃત કરવાનો સંકલ્પ હેલ્થ ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકાશનનો હેતુ માત્ર આરોગ્ય સંબંધિત સમાચાર આપવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિક સુધી નિષ્ણાત ડૉક્ટર્સનું વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત માર્ગદર્શન સરળ ભાષામાં પહોંચાડવાનો છે.સંપત્તિ ટાઈમ્સ પાક્ષિકની સપ્લીમેન્ટરી પ્રકાશન તરીકે 'હેલ્થ ટાઈમ્સ'ની આ પહેલમાં રાજકોટના જાણીતા તબીબી નિષ્ણાત ડૉ. પ્રતીક્ષા દેસાઈ Managing Editor તરીકે અને ડૉ. સંજય દેસાઈના માર્ગદર્શન સાથે સમગ્ર સામગ્રીને વૈજ્ઞાનિક પ્રમાણિકતા અને સરળ રજૂઆત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંપત્તિ ટાઈમ્સના તંત્રી પ્રવીણ શીંગાળાના પત્રકારત્વનો અનુભવ અને તબીબી નિષ્ણાતોના જ્ઞાનનો આ સમન્વય હેલ્થ ટાઈમ્સને અન્ય આરોગ્યલક્ષી પ્રકાશનોથી અલગ ઓળખ આપશે.હેલ્થ ટાઈમ્સ માં શું જાણવા મળશે? હેલ્થ ટાઈમ્સમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર, જીવનશૈલી, મહિલા અને બાળ આરોગ્ય, વડીલોની સંભાળ, આયુર્વેદ, એલોપેથી, માનસિક સ્વાસ્થ્ય, પોષણ, ઋતુચર્ય, નવી સારવાર પદ્ધતિઓ, આરોગ્યલક્ષી સરકારી યોજનાઓ, હોસ્પિટલ અને તબીબી ક્ષેત્રની નવી પહેલો સહિતના વિષયો પર નિષ્ણાતોના લેખો અને માર્ગદર્શન નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવશે.અગ્રણીઓના મંતવ્યોપરેશ ગજેરા (RBA પ્રમુખ)"'સંપત્તિ ટાઈમ્સ'એ જેમ વિશ્વાસનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, તેમ 'હેલ્થ ટાઈમ્સ' પણ આરોગ્ય ક્ષેત્રમાં ડૉક્ટર્સ અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ બની નવી ઓળખ સ્થાપિત કરશે."ડૉ. તેજસ કરમટા (પ્રમુખ, IMA રાજકોટ)"સોશિયલ મીડિયાના યુગમાં વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત આરોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવા માટે 'હેલ્થ ટાઈમ્સ' જેવી પહેલ સમયની જરૂરિયાત છે."ડૉ. બીરજુ મોરી (સેક્રેટરી, IMA રાજકોટ)"નિવારક આરોગ્ય, જનજાગૃતિ અને ડૉક્ટર્સ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવામાં 'હેલ્થ ટાઈમ્સ' અસરકારક માધ્યમ બનશે."ડૉ. એમ.વી. વેકરીયા (પ્રમુખ, Federation of AYUSH Doctors Rajkot)"આયુષ અને આધુનિક ચિકિત્સા સહિત તમામ સારવાર પદ્ધતિઓ અંગે સંતુલિત અને વિશ્વસનીય માહિતી આપવાનો પ્રયાસ પ્રશંસનીય છે."ડૉ. સંજય દેસાઈ (IFS Gujarat State Head)"નિષ્ણાતોના જ્ઞાનને સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ આરોગ્ય જાગૃતિ માટે એક સકારાત્મક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે."ડૉ. પ્રતીક્ષા દેસાઈ (Managing Editor, હેલ્થ ટાઈમ્સ)"'હેલ્થ ઇઝ વેલ્થ'ના વિચારને સાકાર કરતાં હેલ્થ ટાઈમ્સ લોકો સુધી ઓથેન્ટિક, વૈજ્ઞાનિક અને વિશ્વસનીય આરોગ્ય માર્ગદર્શન પહોંચાડશે."પ્રવીણ શીંગાળા (Editor, સંપત્તિ ટાઈમ્સ)"'સંપત્તિ' પછી હવે 'સ્વાસ્થ્ય' ક્ષેત્રમાં પણ વિશ્વાસનું મંચ ઊભું કરવાનો અમારો સંકલ્પ છે, જે સમાજ માટે ઉપયોગી સાબિત થશે."રાજેશ દત્તાણી"હેલ્થ ટાઈમ્સ માત્ર પ્રકાશન નહીં, પરંતુ આરોગ્ય જાગૃતિનું લોકાભિમુખ અભિયાન છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે." Read More
મેં એક બિલાડી પાળી છે..., તો હવે રજીસ્ટ્રેશન ફરજિયાત! અમદાવાદ,અમદાવાદમાં બિલાડી પાળતા લોકોને હવે AMCમાં ફરજિયાત કરવું પડશે રજીસ્ટ્રેશનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓના નિયમોને લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પાલતુ શ્વાન માટે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હતું, પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરી બિલાડી પાળતા નાગરિકોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે. જો તમે પણ ઘરમાં બિલાડી પાળી રહ્યા હોવ, તો હવે તમારે નિયમોનું પાલન કરવું પડશે, અન્યથા દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.AMCના આ નવા નિર્ણય મુજબ, શહેરના જે લોકો ઘરે બિલાડી પાળે છે, તેમણે હવે ફરજિયાતપણે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કોર્પોરેશન દ્વારા પાલતુ પ્રાણીઓ પર દેખરેખ રાખવા અને તેની વસ્તી તેમજ રસીકરણ અંગેની માહિતી મેળવવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. જે નાગરિકો આ નિયમનું પાલન નહીં કરે, તેમને તંત્ર દ્વારા કરવામાં આવતી ચેકિંગની કાર્યવાહી દરમિયાન દંડ ભરવો પડી શકે છે.અગાઉ AMC માત્ર પાલતુ કૂતરાઓના રજીસ્ટ્રેશન માટે આગ્રહ રાખતું હતું, પરંતુ વધતા જતા પાલતુ બિલાડીઓના પ્રમાણને ધ્યાનમાં રાખીને તંત્રએ હવે આ મર્યાદા વધારી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં પાલતુ પ્રાણીઓની સંખ્યાનું સચોટ ડેટાબેઝ તૈયાર કરવાનો અને જાહેર આરોગ્યને લગતી જવાબદારીઓ સુનિશ્ચિત કરવાનો છે. બિલાડી પાળતા માલિકોને વહેલી તકે AMCની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. Read More
પી.એમ. મોદીના આગમન પૂર્વે 57 ટકા નિકાસને ટેરિફ મુક્તિની ન્યૂઝીલેન્ડની જાહેરાત નવી દિલ્હી,પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર હેઠળ નિકાસને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં હવે ન્યુઝીલેન્ડની મુલાકાત પર વિશ્વભરની નજર છે. પીએમ મોદી ન્યુઝીલેન્ડ પહોંચે તે પહેલા જ ત્યાંના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જતી એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ નિર્ણય બંને રાષ્ટ્રો વચ્ચેની ગાઢ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા તરફનું એક મક્કમ પગલું માનવામાં આવે છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મહત્વની માહિતી શેર કરતા પીએમ ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું કે, ભારત સાથેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અમલમાં આવતાની સાથે જ ન્યુઝીલેન્ડની ૫૭ ટકા નિકાસને આયાત શુલ્ક (ટેરિફ) માંથી મુક્તિ આપવામાં આવશે. આ પગલાથી ન્યુઝીલેન્ડના વ્યવસાયો માટે ભારતીય બજારમાં નવી તકોના દરવાજા ખુલશે. કરારના પ્રથમ દિવસથી જ અડધાથી વધુ નિકાસ થતી પ્રોડક્ટ્સ ટેરિફ-મુક્ત થવાથી નિકાસકારોનો ખર્ચ ઘટશે, જેના પરિણામે ન્યુઝીલેન્ડના ઉત્પાદનો ભારત જેવા વિશાળ બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે.વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન વેપાર, ઉર્જા અને રણનીતિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પીએમ લક્સનની આ જાહેરાત સ્પષ્ટ કરે છે કે ન્યુઝીલેન્ડ ભારત સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ મુક્ત વેપાર કરાર બંને દેશોના વેપારી સમુદાય માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને લાંબા ગાળે આર્થિક સંબંધોને વધુ ગતિશીલ બનાવશે. પીએમ મોદીના આગમન પૂર્વે લેવાયેલ આ નિર્ણયે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યું છે. Read More