ભારતીય સેનાને મળશે નવા વડા, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ સંભાળશે કમાન

ભારતીય સેનાને મળશે નવા વડા, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ સંભાળશે કમાન

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું લેશે સ્થાન: 31 ઓગસ્ટ, 2028 સુધી રહેશે કાર્યકાળ

ભારતીય સંરક્ષણ દળોના ઉચ્ચ સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM)ની દેશના નવા આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જારી કરીને માહિતી આપવામાં આવી છે કે રાષ્ટ્રપતિએ આ નિમણૂકને મંજૂરી આપી દીધી છે.

વર્તમાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (PVSM, AVSM) નો કાર્યકાળ પૂર્ણ થતાં, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આગામી 30 જૂન, 2026ના રોજ પદભાર સંભાળશે. સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ સત્યજીત મોહંતી દ્વારા હસ્તાક્ષરિત પત્રમાં આ અંગેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે.
નવા આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠનો કાર્યકાળ લાંબો રહેશે. સત્તાવાર માહિતી મુજબ, તેઓ 31 ઓગસ્ટ, 2028 સુધી ભારતીય સેનાના વડા તરીકે જવાબદારી નિભાવશે. તેમની આ નિમણૂકને દેશની સુરક્ષા અને રણનીતિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

You may also like

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ:  ઇટલીના પીએમ મેલોની

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ: ઇટલીના પીએમ મેલોની

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ