ગીરની સુરક્ષા સામે ખતરો: સિંહોના મોત અને ગેરકાયદે રિસોર્ટ્સ મામલે PM-CMને ફરિયાદ Jun 13, 2026 જંગલ વિસ્તારમાં અનધિકૃત માઈનિંગ અને રિસોર્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય તપાસની માગણીગીરના જંગલ વિસ્તારમાં સિંહોના અકુદરતી મોત, પર્યાવરણના ભોગે ચાલતા ગેરકાયદે માઈનિંગ અને નિયમોને નેવે મૂકીને ધમધમતા રિસોર્ટ્સ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે સત્તાધીશો અને સ્થાનિક વહીવટીતંત્રની ભૂમિકા સામે સવાલો ઉભા કરી, વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખીને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.ગીર વિસ્તારમાં સિંહો માટેના સુરક્ષિત કોરિડોર અને વન વિસ્તારમાં થઈ રહેલા દબાણો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વન વિભાગ અને સ્થાનિક તંત્રની મિલીભગતથી જંગલની મર્યાદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ ઉપરાંત, લોકપ્રિય કલાકાર રાજભા ગઢવીને આપવામાં આવેલી મંજૂરીઓ અંગે પણ વિવાદ સર્જાયો છે, જેના કારણે ગીરના જંગલની જાળવણી અને વન્યજીવોના સંરક્ષણ સામે મોટું જોખમ ઊભું થયું છે.આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. ફરિયાદી પક્ષનું માનવું છે કે જો તાત્કાલિક ધોરણે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં નહીં આવે, તો ગીરના સિંહોનું અસ્તિત્વ અને જંગલની ઇકો-સિસ્ટમ કાયમી ધોરણે જોખમમાં મુકાઈ શકે છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી કક્ષાએ થયેલી આ ફરિયાદ બાદ હવે તંત્ર શું પગલાં લે છે, તે જોવું મહત્વનું રહેશે. Previous Post Next Post